Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 2.66 લાખથી વધુ કેસ :વધુ 3,89 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :વધુ 4525 લોકોના મોત : મૃત્યઆંક 2,83 લાખને પાર

સૌથી વધુ કર્ણાટકમાં 30.309 કેસ.મહારાષ્ટ્રમાં 28,438 કેસ, તામિલનાડુમાં 33,059 કેસ, કેરળમાં 31,337 કેસ, આંધ્રપ્રદેશમાં 21,320 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,428 કેસ. ઓરિસ્સામાં 10,321 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે 

દેશમાં કોરોનાનાં 2.66.966 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3,89,431 નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2,19,89,568 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.66,966 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 4525 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.83,276 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.66,966 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,54,95,066 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 32,21,838એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,89,331 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  2,119,89,568 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ સૌથી વધુ કર્ણાટકમાં 30.309 કેસ.મહારાષ્ટ્રમાં 28,438 કેસ, તામિલનાડુમાં 33,059 કેસ, કેરળમાં 31,337 કેસ, આંધ્રપ્રદેશમાં 21,320 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,428 કેસ. ઓરિસ્સામાં 10,321 કેસ નોંધાયા છે

(12:54 am IST)