Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રામમંદિર નિર્માણમાં ભ્રષ્ટ્રાચારના આરોપથી સાક્ષી મહારાજ કાળઝાળ : કહ્યું -રસીદ બતાવી આપેલું દાન પરત લઇ જાવ

સાંસદે કહ્યું જે નેતાઓ આરોપ લગાવી રહ્યાં છે તેમણે અગાઉ રામ ભક્તો પર જ ગોળીબાર કર્યો હતો

નવી દિલ્હી : ભાજપ સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર જમીન વિવાદ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, 'જે લોકો રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યાં છે તેઓ રસીદ દેખાડી તેમણે આપેલું દાન પરત લઈ જાય. જે નેતાઓ આરોપ લગાવી રહ્યાં છે તેમણે અગાઉ રામ ભક્તો પર જ ગોળીબાર કર્યો હતો.'

  વધુમાં તેઓએ જણાવ્યું કે, 'જે લોકો કહેતા હતા કે બાબરી મસ્જિદ પાસે એક પક્ષીને નહીં જવા દઈએ ત્યાં ભવ્ય મંદિર બની રહ્યું છે. અમુક લોકો પાસે માત્ર પાયાવિહોણા આરોપ લગાવવા સિવાય કંઈ જ હોતું નથી. ચંપત રાયે તો પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન રામને સમર્પિત કર્યું છે. સંજય સિંહ અને અખિલેશ યાદવ પોતે આપેલ દાનની રકમ લઈ જઈ શકે છે. આ લોકો જ મંદિર બનાવવાનો વિરોધ કરતા હતાં.'

(11:25 pm IST)