Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠયા ત્રણ રાજ્ય

વહેલી સવારે ૪.૧, ૩.૦ અને ૨.૬નો ભૂકંપ આવતા લોકોમાં નાસભાગ મચી : ઘરની બહાર દોડી આવ્યા

નવી દિલ્હી તા. ૧૮ : ભારતના ૩ રાજયોમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૩ રાજયોમાં ભૂકંપના ઝટકા અલગ અલગ સમયે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિકટર સ્કેલ પર ભૂકંપી તીવ્રતા ૪.૧, ૩.૦, અને ૨.૬ હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના આંચકા ક્રમશઃ સોનિતપુર એટલે કે આસામ, ચંદેલ એટલે કે મણિપુર અને પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની ખાતરી કરી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે ૪.૨૦ મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે ૨.૬ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય  સોનિતપુર એટલે કે આસામમાં સવારે ૨.૪૦ મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા ૪.૧ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં ૧.૦૬ ના સમયે ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

(11:39 am IST)