Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ઘઉંની ઓછી ખરીદીને કારણે સરકારે રાશનના કોટામાં ઘઉંનું પ્રમાણ ઓછું કરવાનો નિર્ણય કર્યો

30 જુનના આધાર પ્રમાણીકરણના માધ્યમથી અનાજ ના લઇ શકનાર વ્યક્તિઓને મોબાઈલ ઓટીપી વેરીફિકેશનના માધ્યમથી ચોખાનું વિતરણ કરવામાં આવશે

નવી દિલ્હીઃ જો તમે પણ રાશન કાર્ડ લાભાર્થી છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. સરકારના નિર્ણયથી તમને મોટો ઝટકો લાગી શકે છે. હકિકતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં 19-30 જૂન સુધી ફ્રી રાશન વિતરિત કરવામાં આવશે, પરંતુ આ વખતે લાભાર્થિઓને ઘઉંની જગ્યાએ 5 કિલો ચોખા વિતરિત કરવામાં આવશે. એટલે કે આ વખતે તમને ફ્રી રાશન હેઠળ ઘઉંથી વંચિત રહેવું પડશે. આ મામલે ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગના કમિશનરે આદેશ આપ્યા છે.
અત્યાર સુધી ફ્રી રાશન યોજના હેઠળ લાભાર્થીઓને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામાં આવતા હતા, પરંતુ ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગના કમિશનર તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર, આ વખતે ઘઉંની જગ્યાએ લાભાર્થીઓને માત્ર 5 કિલો ચોખા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુપીની સાથે જ સરકારે ઘણા રાજ્યોમાં ઘઉંના પુરવઠાને ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઘઉંની ઓછી ખરીદીને કારણે સરકારે રાશનના કોટામાં ઘઉંનું પ્રમાણ ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવ દઈએ કે, ફેરફાર માત્ર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ઘઉંની જગ્યા પર લગભગ 55 લાખ મેટ્રિક ટન ચોખાનો વધારાની ફાળવણી કરવામાં આવી છે.
કેવી રીતે મળશે રાશન?
જોકે, તમને પણ સરકારની આ યોજનાનો લાભ મળે છે તો તમે પોર્ટબિલિટી ઇનવોઇસના માધ્યમથી ચોખા લઇ શકશો. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, 30 જુનના આધાર પ્રમાણીકરણના માધ્યમથી અનાજ ના લઇ શકનાર વ્યક્તિઓને મોબાઈલ ઓટીપી વેરીફિકેશનના માધ્યમથી ચોખાનું વિતરણ કરવામાં આવશે. વિતરણના સમયે પારદર્શિતા માટે તમામ દુકાનો પર જિલ્લાધિકારી દ્વારા નિયુક્ત નોડલ અધિકારી હાજર રહેશે.

(6:20 pm IST)