Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કોંગ્રેસે પવન ખેરને પોતાના ન્યુ કોમ્યુનિકેશન ડિપાર્ટમેંટ ના મીડિયા એન્ડ પબ્લિસિટી સેલ ના અધ્યાપક પદે નિયુક્ત કર્યા

મહાસચિવ વેણુગોપાલે જાહેરાત કરી .

નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર :તાજેતરમાં યોજાયેલી 4 રાજ્યોની 16 બેઠકો માટેની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક દિગ્ગજોને ઉમેદવારી નહોતી મળી. આ કારણે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ત્યારે હવે કોંગ્રેસે પવન ખેરાને પોતાના ન્યૂ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના મીડિયા એન્ડ પબ્લિસિટી સેલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે એક પત્રના માધ્યમથી આ અંગેની જાહેરાત કરી હતી. આ નવી જવાબદારી પવન ખેરા માટે પ્રમોશન હોવાનું માનવામાં આવે છે. વેણુગોપાલે પત્રમાં લખ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંજૂરી બાદ પવન ખેરાને આ જવાબદારી સોંપવામાં આવી છે.

પવન ખેરા પોતે રાજ્ય સભાના ઉમેદવાર હોવાનો દાવો કરી રહ્યા હતા પરંતુ તેમને આ તક ન મળતા તેમણે દુઃખ અભિવ્યકત કર્યુ હતું. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'કદાચ મારી તપસ્યામાં જ કોઈ ખામી રહી ગઈ હશે.' એવું કહેવાય છે કે, તેમને રાજ્યસભાના ઉમેદવાર ન બનાવવામાં આવ્યા તેના વળતર તરીકે આ પ્રમોશન આપવામાં આવ્યું છે.

(10:02 pm IST)