Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ કાબુલના કર્તે પરવાન ગુરૂદ્વારા પરના આતંકી હુમલાની નિંદા કરી હતી : પ્રાર્થના સ્થળ પાસે અનેક બ્લાસ્ટર થયા હતા

નવી દિલ્‍હી :  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કાબુલના કર્તે પરવાન ગુરુદ્વારા પરના બર્બર આતંકી હુમલાની નિંદા કરી હતી.

તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં લઘુમતી સમુદાયના પ્રાર્થના સ્થળ પાસે અનેક બ્લાસ્ટ થયા હતા.

પીએમ મોદીએ શનિવારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારા પાસે થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી હું સ્તબ્ધ છું. હું આ બર્બર હુમલાની નિંદા કરું છું અને ભક્તોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વિસ્તારમાં પ્રવેશવા માટે બે અજાણીયા હુમલાખોરે હુમલો કર્યો હતો, જેમાં બે લોકો ઘવાયા હતા.

(11:53 pm IST)