Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે 22મી જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ફાઈનલ મુકાબલો યોજાશે : મુંબઈના ભૂતપૂર્વ ખેલાડીઓ અમોલ મઝુમદાર અને ચંદ્રકાંત પંડિત હાલમાં મુંબઈ અને મધ્ય પ્રદેશના કોચ

શનિવારે વરસાદને લીધે લંચ બાદ મેચ રમાઈ હતી

મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે 22મી જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ફાઈનલ મુકાબલો યોજાશે. આ મુકાબલો એટલા માટે રસપ્રદ રહેશે કારણ કે મુંબઈના ભૂતપૂર્વ ખેલાડીઓ અમોલ મઝુમદાર અને ચંદ્રકાંત પંડિત હાલમાં મુંબઈ અને મધ્ય પ્રદેશના કોચ છે. શનિવારે મુંબઈએ તેની પ્રથમ ઈનિંગની જંગી લીડના સહારે ઉત્તર પ્રદેશ સામે જીતની ઔપચારિકા પૂર્ણ કરી હતી.

41 વખત ચેમ્પિયન રહેલી મુંબઈની ટીમ પ્રથમ દાવમાં 393 રન કર્યા હતા જ્યારે ઉત્તર પ્રદેશની ટીમ 180 રનમાં સમેટાઈ ગઈ હતી. શુક્રવારે મેચના ચોથા દિવસે મુંબઈએ ચાર વિકેટે 449 રન ખડક્યા હતા. યશસ્વી જયસ્વાલ તેમજ અરમાન જાફરે સદી ફટકારી હતી. ચોથા દિવસની રમતના અંતે મુંબઈએ 662 રનની લીડ મેળવી હતી.

શનિવારે વરસાદને લીધે લંચ બાદ મેચ રમાઈ હતી જેમાં સરફરાઝ (59*) અને મુલાની (51*)એ અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ બન્ને કેપ્ટનને મેચને સમાપ્ત કરવાનો નિર્ણય કરી હાથ મિલાવ્યા હતા. મુંબઈએ બીજા દાવમાં ચાર વિકેટે 553 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

(12:05 am IST)