Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કેરળમાં ઘટતા કોરોનાના કહેરથી દેશમાં નવા 14.282 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 18.954 દર્દીઓ રિકવર થયા : વધુ 165 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.52.321 થયો :એક્ટીવ કેસ 1.84.506 થયા : કુલ કેસની સંખ્યા 3.40.81.047 થઇ

સૌથી વધુ કેરળમાં 7555 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1715 કેસ, તામિલનાડુમાં 1218 કેસ,મિઝોરમમાં 948 કેસ, પશ્ચિમ બંગાળમાં 624 કેસ, ઓરિસ્સામાં 443 કેસ, આંધ્રપ્રદેશમાં 432 કેસ,કર્ણાટકમાં 326 કેસ, આસામમાં 205 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 14.282 કેસ નોંધાયા છે. જ્યારે 18.954 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 14.282 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 165 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.52.321 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 14.282 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.40.81.047 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.84.506 થઇ છે છેલ્લા 24 કલાકમાં 18.954 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.34.31.093 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 7555 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1715 કેસ, તામિલનાડુમાં 1218 કેસ, મિઝોરમમાં 948 કેસ, પશ્ચિમ બંગાળમાં 624 કેસ, ઓરિસ્સામાં 443 કેસ, આંધ્રપ્રદેશમાં 432 કેસ,કર્ણાટકમાં 326 કેસ, આસામમાં 205 કેસ નોંધાયા છે

(12:00 am IST)