Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અભિનેત્રી ઉમા મહેશ્વરીના અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું

ઉમા માહેશ્વરી થોડા મહિનાઓથી પીડિયાનો શિકાર હતી અને તમની સારવાર ચાલી રહી હતી. પરંતુ હાલમાં જ તે સંપૂર્ણ પણે ઠીક થઈ ગઈ હતી

મુંબઈ :40 વર્ષની વયે જાણીતી અભિનેત્રી ઉમા મહેશ્વરીના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે Metti Oli નામના સાઉથ શોથી ફેમસ થનાર એક્ટ્રેસ ઉમા મહેશ્વરીનું રવિવારે અચાનક નિધન થઈ ગયું. ઉમા 40 વર્ષની હતી અને બિમારી સામે લડી રહી હતી. ઉમાના પરિવારમાં તેમના પતિ મુરૂગન છે. જે એક પશુઓના ડોક્ટર છે. ઘણા સાઉથ સ્ટાર્સે સોશિયલ  મીડિયા પર ઉમાના પરિવારના પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે

જાણકારી અનુસાર ઉમા માહેશ્રી ખૂબ જ અસહઝ મહેસુસ કરી રહી હતી અને નિધનના થોડા જ દિવસ પહેલા અચાનક જમીન પર પડી ગઈ હતી. હવે તે વિશે ઉમાના માતાની ભૂમિકા નિભાવનાર એક્ટ્રેસ શાંતિ વિલિયમ્સે હવે તેના વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે

શાંતિએ ઉમાના નિધન પર કહ્યું, "ઉમા માહેશ્વરી મારા માટે એક દિકરીને જેમ હતી. તેના મોત વિશે જાણીને હું શોક થઈ ગઈ હતી. મને નથી ખબર કે ભગવાન આટલી ઓછી ઉંમરમાં લોકોને કેમ લઈ જાય છે. જ્યારે આપણે આવી વસ્તુઓ થતા જોઈએ છીએ તો ઈશ્વરના અસ્તિત્વ પર શંકા થવા લાગે છે. એક્ટ્રેસ ચિત્રા બીજે અમુક મહિના પહેલા જ અમને છોડની જતી રહી અને અમે આ ઘટનાને ભૂલી પણ નથી શક્યા અને તે વચ્ચે અચાનક ઉમા પણ જતી રહી છે."

જણાવવામાં આવી રહ્યું છે કે ઉમા માહેશ્વરી થોડા મહિનાઓથી પીડિયાનો શિકાર હતી અને તમની સારવાર ચાલી રહી હતી. પરંતુ હાલમાં જ તે સંપૂર્ણ પણે ઠીક થઈ ગઈ હતી. જોકે તેને ફરી કમળો થયો. જેની સારવાર ચાલી રહી હતી. ઉમા માહેશ્વરીના પ્રોજેક્ટની વાત કરીએ તો તેણે Manjal Magimai અને Oru Kadhaiyin નામના શો કર્યા હતા. 

(7:19 pm IST)