Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ 3 નો ભોગ લીધો: સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2117 બેડ ખાલી

રાજકોટ  : રાજકોટ શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનથી આજે મૃત્યુ આંકમાં ધટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ  રાતમાં 3 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં  રિપોર્ટ મુજબ ગઈકાલે 8 પૈકી એક પણ મૃત્યુની નોંધ થઈ નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.17નાં  સવારનાં 8 વાગ્યા થી તા.18નાં  સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 3 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2117 બેડ ખાલી છે.

(12:12 pm IST)