Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ત્રણ IPS અધિકારીઓ ઘનશ્યામ ઉપાધ્યાય, નવલ બજાજ અને વિદ્યા જયંત કુલકર્ણીને CBIના સંયુક્ત નિર્દેશક તરીકે નિયુક્ત કરાયા

1999 બેચના IPS અધિકારી ઉપાધ્યાયનો કાર્યકાળ 29 જૂન 2026 સુધી રહેશે: મહારાષ્ટ્ર કેડરના 1995 બેચના નવલ બજાજ 6 જૂન 2026 સુધી પદ સંભાળશે: કુલકર્ણી તમિલનાડુ કેડરના 1998 બેચના IPS અધિકારી:પાંચ વર્ષના સમયગાળા માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિયુક્ત

નવી દિલ્હી :  કર્મચારી મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ IPS અધિકારીઓ ઘનશ્યામ ઉપાધ્યાય, નવલ બજાજ અને વિદ્યા જયંત કુલકર્ણીને CBIના સંયુક્ત નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કુલકર્ણી તમિલનાડુ કેડરના 1998 બેચના IPS અધિકારી, મંત્રાલયના આદેશ મુજબ, પાંચ વર્ષના સમયગાળા માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓડિશા કેડરના 1999 બેચના IPS અધિકારી ઉપાધ્યાયનો કાર્યકાળ 29 જૂન, 2026 સુધી રહેશે. મહારાષ્ટ્ર કેડરના 1995 બેચના નવલ બજાજ 6 જૂન 2026 સુધી આ પદ સંભાળશે.

(12:00 am IST)