Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજયમાં કમોસમી વરસાદઃ ખેડુતોમાં ચિંતાના વાદળો

રાજયના અનેક જીલ્લાઓમાં વ્‍હેલી સવારથી વાતાવરણમાં પલ્‍ટોઃ માવઠુ થવાથી પાકને નુકશાન થવાની ભીતિઃ ગુજરાતમાં ૩ ઋતુ ભેગી થઇઃ ગરમી-ઠંડી અને હવે વરસાદ : જુનાગઢ, મેંદરડા, માળીયાહાટીના, વંથલી, વાંકાનેર, મોરબી, રાજકોટ, આટકોટ, ખીરસરા, જામનગર-ધ્રોલ પંથકના અનેક વિસ્‍તારોમાં માવઠુઃ ઠંડકમાં ઘટાડો

જુનાગઢ : જુનાગઢમાં આજે સવારે ૬-૩૦ વાગ્‍યા આસપાસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાતાવરણમાં પલટો આવ્‍યો છે. અને અમુક-અમુક જગ્‍યાએ માવઠુ વરસ્‍યું છે. રાજકોટના પણ અમુક વિસ્‍તારોમાં ઝરમર વરસાદ વરસ્‍યો હતો. તસ્‍વીરમાં જુનાગઢમાં સવારે વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : વિનુ જોશી જુનાગઢ - કરશન બામટા-આટકોટ)
રાજકોટ, તા., ૧૮: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને વાદળા છવાયેલા રહયા બાદ આજે સતત બીજા દિવસે વાદળછવાંયુ વાતાવરણ યથાવત છે અને જુનાગઢ, મેંદરડા, માળીયા હાટીના, વંથલી, મોરબી, રાજકોટ, આટકોટ, ખીરસરા સહીતના વિસ્‍તારોમાં માવઠુ વરસ્‍યુ હતું.
ભરશિયાળે કમોસમી વરસાદ વરસતા પાકને નુકશાન થયું છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડવા લાગ્‍યો છે. આજે ઠંડીમાં સામાન્‍ય ઘટાડો નોંધાયો છે.
આજે કચ્‍છના નલીયામાં લઘુતમ તાપમાન ૧૪.૪ ડીગ્રી રાજકોટનું ર૧.૭, જામનગર ૧૭.પ ડીગ્રી નોંધાયું હતું.
રાજયના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બેચરાજી સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજયના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો, બનાસકાંઠી, મહેસાણા, સાબરકાંઠા, બેચરાજી સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભિતિ સેવાઈ રહી છે...ડીસા અને તેના આસપાસના વિસ્‍તારોમાં પણ વરસાદનું છાંપટું આવી જતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. તો રાજકોટમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો હતો. કેટલીક જગ્‍યાએ કમોસમી વરસાદને પડતા, શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હિંમતનગરના કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. આ તરફ જૂનાગઢમાં પણ વાતાવરણમાં અચાનક પલ્‍ટો થતાં ખેડુતોની મુશ્‍કેલીમાં થયો વધારો તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ સેવાઈ રહી છે.  ખેડૂતો રાત્રિના સમયે પણ ઓપનેર થ્રેશર શરૂ કરી ખેત પેદાશો સાચવવા કામે લાગ્‍યા ચોમાસા માં વધુ વરસાદ પડ્‍યો તેને કારણ આમ પણ મગફળી કપાસ સોયા બિન ના પાકને નુકસાન થયું છે ત્‍યારે હવે માવઠાને કારણે ખેડૂતોનો તૈયાર પાક એડે જતા પડ્‍યા પર પાટુ સમાન લાગી રહ્યું છે.
ગઈ કાલે સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્‍યો બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ બદલાઈ ગયુ હતું તથા કેટલાક વિસ્‍તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્‍યો હતો. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, ખેડૂતોનો શિયાળું પાક એડે ન જાય તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે.  બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ વાતાવરણ બદલાયું છે. ૧૧ વાગ્‍યા બાદ અનેક વિસ્‍તારમાં વરસાદી ઝાપટાં પડ્‍યા હતા. માવઠામારથી  ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય તેવું વાતાવરણ બન્‍યું છે. ગરમી, ઠંડી, અને હવે વરસાદના વરતારાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો..આકાશ માં વાદળો છવાયા છે..ત્‍યારે કમોસમી વરસાદની આગાહીને પગલે ડિઝાસ્‍ટર વિભાગદ્વારા એલર્ટ રહેવાની  સૂચના આપવામાં આવી છે.  લો પ્રેશરની અસર રાજયમાં હવામાન વિભાગ દ્વારા ૩ દિવસ સુધી હડવાથી સામાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્‍ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજયમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથે જ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્‍યારે હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં કેટલીક જગ્‍યાએ કમોસમી વરસાદની જોવા મળ્‍યો છે, તો કેટલીક જગ્‍યાએ હળવા છાંટા પડતા ખડૂતો પાકને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે.
જુનાગઢ
જુનાગઢ મેંદરડા વિસ્‍તારમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ થત માર્ગો પર ખાબોચીયા ભરાય ગયા હતા.
વંથલી તેમજ માળીયા પંથકમાં પણ છાંટા થતા ખેડુતો મુશ્‍કેલીમાં મુકાય ગયા છ.ે
અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણની સ્‍થિતી ઉભી થતા ગઇકાલથી સોરઠના હવામાનમાં પલ્‍ટો આવ્‍યો છ.ે ગઇ આખો દિવસ વાદળીયુ વાતાવરણ રહ્યા બાદ આજે વ્‍હેલી સવારના જુનાગઢમાં ઓંચિતા કમોસમી વરસાદનું ઝાપટું વરસી જતા માર્ગો પર ખાબોચીયા ભાય ગયા હતા.
જુનાગઢમાં સવારના એક મીમી વરસાદ નોંધાયો હતો.
જુનાગઢની સાથે મેંદરડા તેમજ તેના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સવારના કમોસમી વરસાદ થયો હતો અને પાંચ મીમી પાણી પડયાનું નોંધાયુ હતું.
જયારે માળીયા હાટીના તેમજ વંથલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં કમોસમી વરસાદના છાંટા વરસતા માર્ગો ભીના થઇ ગયા હતા.
જુનાગઢ જિલ્લામાં હવામાનમાં પલ્‍ટો અને કમોસમી વરસાદને લઇ ખેડુતોનેનુકશાન થવાની શકયતા પ્રવર્તે છે.
બીજી તરફ આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીનેર૧.૮ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી ઘટી ગઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૩ કિમીની રહી હતી.
વાંકાનેર
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર પલ્‍ટાયેલા વાતાવરણને પગલે વાંકાનેરમાં સવારે નવેક વાગ્‍યે વરસાદી છાંટા વરસતા રોડ રસ્‍તાઓ પલળી ગયા હતા.
મોડી સવાર સુધી આભમાં ધાબડ છવાયેલુ રહ્યા બાદ છેક મોડી સવારે તડકો જોવા મળ્‍યો હતો.
હાલના મિશ્ર ઋતુની રોગીષ્‍ટ હવાને પગલે શહેરમાં ડેન્‍ગ્‍યુ સહિત તાવ-શરદીના કેસોનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જીલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો હતો અને જીલ્લાના અનેક વિસ્‍તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્‍યા હતા જેને પગલે વાતાવરણ ઠંડુગાર બન્‍યું છે તો ખેડૂતોમાં પણ ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે મોરબી જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્‍ચે મોરબી અને માળિયા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદી છાંટા પડ્‍યા હતા તો જીલ્લાના મોટાભાગના વિસ્‍તારોમાં કમોસમી વરસાદી છાંટા પડતા વાતાવરણ ઠંડુગાર બન્‍યું છે તો ખેડૂતો પણ ચિંતાનો માહોલ ફેલાયો છે અને વધુ વરસાદ પડે તો નુકશાની શક્‍યતાઓ પણ રહેલી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. આજનું હવામાન ૩૧.પ મહત્તમ ૧૭.પ લઘુતમ ૬ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. આજે જામનગરના ધ્રોલ, જોડીયા પંથકનાં લીંબુડા, હડીયાણા, બાદનપર સહિતના ગામોમાં વરસાદ પડયો છે.
ખીરસરા
(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા : રાજકોટ નજીકનાં ખીરસરા (રણમલજી) માં આજે સવારે વરસાદી છાંટા પડયા હતાં.
આટકોટ
જસદણ તાલુકામાં આટકોટ સહીતપંથકમાં વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને આકાશ મા વાદળો છવાઈ ગયા હતા લોકો ને  ઠંડી નો અહેસાસ થયો હતો રાત્રે વરસાદી છાંટા પડયા હતા   આટકોટ પાંચવડા જંગવડ જીવાપર સહીત વિસ્‍તારમાં વાદળ છાયા વચ્‍ચે વરસાદી છાંટા પડયા હતા હવામાન દ્વારા ત્રણ દિવસ વરસાદ ની આગાહી આપવામાં આવી છે.  આજે સવારે થી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું કાલે આખો દિવસ , સૂર્યનારાયણના દર્શન થયા ન હતા ધાબડીયુ વાતાવરણ છવાયું હતું.


 

કયાં કેટલી ઠંડી

શહેર         લઘુતમ તાપમાન

અમદાવાદ   રર. ૭ ડિગ્રી

અમરેલી     રર.૪ ડિગ્રી

વડોદરા      ર૧.૪ ડિગ્રી

ભાવનગર    રર.પ ડિગ્રી

ભૂજ          ર૧.ર ડિગ્રી

ડીસા         ર૧.૦ ડિગ્રી

દ્વારકા        રર.પ ડિગ્રી

નલીયા      ૧૪.૪ ડિગ્રી

ઓખા        રપ.૦ ડિગ્રી

જામનગર    ૧૭.પ ડિગ્રી

કંડલા        રર.૦ ડિગ્રી

રાજકોટ      ર૧.૭ ડિગ્રી

સુરત        રપ.૦ ડિગ્રી

વેરાવળ      ર૩.૯ ડિગ્રી

(11:35 am IST)