Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

શ્રીનગરમાં મૃતકોના મૃતદેહની માંગણી કરનારને પોલીસે ઝડપી લીધા બાદ મોડી રાત્રીના છોડી મુકયાઃ ઍક વર્ષની પુત્રી સાથે માતા માંગી રહી છે ન્યાય

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૮ :. હૈદરપોરામાં થયેલી અથડામણમાં બે વ્યકિતના મોત બાદ પોલીસે મૃતદેહની માંગણી કરી રહેલા પરિવારજનોને ઝડપી લીધા હતા. ત્યાર બાદ મોડી રાત્રીના તેમને છોડી મુકયા હતા. મુદ્દસીર ગુલના પત્નિ પોતાની ઍક વર્ષની પુત્રી સાથે બેસીને ન્યાયની માંગ કરી રહ્ના છે.

અથડામણ પછી પોલીસે બે આતંકવાદીઓના મૃતદેહને દફનાવી દીધા છે. ૧૫મીઍ સાંજે થયેલ અથડામણમાં મૃતક મુદ્દસીર ગુલના પરિવારજનોઍ આતંકવાદી સંગઠન સાથે તેમના સંબંધોને નકારી કાઢયા છે, જ્યારે પોલીસે જણાવ્યુ હતુ કે ગુલ આતંકવાદીઓ માટે ઓવરગ્રાઉન્ડ વર્કરનું કામ કરતો હતો.

(5:20 pm IST)