Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને પાર : 24 કલાકમાં 73 લાખથી વધુ લોકોનું રસીકરણ કરાયું

રસીકરણ માટે અત્યાર સુધીમાં 1,17,53091 સત્રો હાથ ધરાયા

નવી દિલ્હી :દેશમાં કોરોના રસીકરણેગતિ પકડી છે. દેશ પહેલેથી જ રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે, ત્યારબાદ આ સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને વટાવી ગયો છે.

માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 73,44,739 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 1,14,46,32851 થઈ ગઈ છે. રસીકરણ માટે અત્યાર સુધીમાં 1,17,53091 સત્રો હાથ ધરવામાં આવ્યા છે.

(11:22 pm IST)