Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ચાલુ વર્ષે 1.02 કરોડ કરદાતાઓને 1.19 લાખ કરોડના ટેક્સ રિફંડ જારી કરાયા

આકારણી વર્ષ 2021-22 માટે 67.99 લાખના રિફંડમાં 13,140.94 કરોડના રિફંડ જારી કરાયા હતા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં પહેલી એપ્રિલથી ૧૫ નવેમ્બર સુધીમાં 1.02 કરોડ કરદાતાઓને 1.19 લાખ કરોડના ટેક્સ રિફંડ જારી કરાયા હતા. આમા આકારણી વર્ષ 2021-22 માટે 67.99 લાખના રિફંડમાં 13,140.94 કરોડના રિફંડ જારી કરાયા હતા. સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ)એ પહેલી એપ્રિલ 2021થી 15 નવેમ્બર 2021 દરમિયાન 1.02 કરોડ કરદાતાઓને 1,19,093 કરોડના રિફંડ જારી કર્યા હતા. 1,00,42,619 કેસોમાં 38,034 કરોડના ટેક્સ રિફંડ જારી કરાયા હતા.

જ્યારે 1,80,407 કેસમાં 81,059 કરોડના કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરાયા હતા, એમ આઇટી વિભાગે જણાવ્યું હતું.

(12:54 am IST)