Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

હવે ત્રીજા લગ્ન કરવા માટે ધરણા પર બેઠી મહિલા

૨ લગ્ન કરીને પણ મન ન ભરાયું

 નવી દિલ્હી, તા.૧૮: આ મામલો ભાગલપુર જિલ્લાના  નવગછિયા અનુમંડલના ઢોલબઝઝાનો છે. કહેવાય છે કે, જ્યારે મહિલા સાથે પુછપરછ કરવામાં આવી તો, જાણવા મળ્યું કે, મહિલાના ૨ લગ્ન થઈ ચુક્યા છે. તેના પ્રથમ લગ્ન કદવાના પચગછિયાના એક યુવક સાથે થયા હતા અને બીજા લગ્ન ખગડિયાના પસરાહામાં એક યુવક સાથે પાંચ વર્ષ પહેલા થયા હતા. મહિલા હવે ત્રીજા પ્રેમી સંતોષ ભગત સાથે જે તેમના ગામમાં બની રહેલા ડેમનું કામ કરવા આવ્યો હતો. બંનેની મિત્રતા અઢી વર્ષ પહેલા ઢોલબઝઝામાં થઈ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો.

તો વળી આ મહિલા હવે તેના પ્રેમીના ઘરે ધરણાં પર બેસી ગઈ છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પ્રેમી સંતોષ ભગતે તેને લગ્નની લાલચ આપીને છ મહિના સુધી તેની સાથે સંબંધ બાંધતો રહ્યો. પણ સંતોષ હવે લગ્ન કરવાની ના પાડી રહ્યો છે. કહેવાય છે કે, પ્રેમી પોતાની પત્ની અને ૩ બાળકો સાથે દગો કરીને પરણેલી મહિલા સાથે રહેતો હતો. મહિલાનું કહેવુ છે કે, સંતોષે તેનું સાસરિયું છોડાવી દીધું. લગ્નની વાત કરી તો, ૧૦ દિવસથી ઝઘડો કરવા લાગ્યો. સાથે જ મને છોડીને ભાગી ગયો અને મહિલાને સાસરિયે પાછી જતી રહેવા કહી દીધું. આપને જણાવી દઈએ કે, ૩ દિવસ પહેલા પ્રેમી મહિલાના કોઈ સંબંધીના માધ્યમથી બોલાવીને બિહારીગંજ લઈ ગયો હતો. આ દરમિયાન બંનેએ ત્યાંથી પાછા ફરતા રસ્તામાં આવતા એક દુર્ગા મંદિરમાં જીવવા મરવાના કસમ ખાધા. આ દરમિયાન ત્યાંથી નિકળી રસ્તામાં સંતોષ ભગતે મહિલાને હાથમાં હેલમેટ આપ્યું અને કહ્યું કે, હું આવું છે, થોડી વાર ઊભી રે, અને સંતોષ ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યાર બાદ મહિલા ગામમાં આવી અને પ્રેમીના ઘર આગળ ધરણાં પર બેસી ગઈ. મહિલાના ધરણાં જોઈ સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ.

(1:31 pm IST)