Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નૌકાદળના યુધ્ધ જહાજ INS રણવીર પર બ્લાસ્ટ : ૩ જવાનો શહીદઃ અનેક ઇજાગ્રસ્ત

 

મુંબઇ,તા. ૧૯ : ભારતીય નૌકાદળના યુદ્ઘ જહાજ INS રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્દ્યટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે અને દ્યણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે, ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, 'આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં એક કમનસીબ ઘટના બની INS રણવીરના આંતરિક ડબ્બામાં થયેલા વિસ્ફોટમાં નેવીના ૩ જવાનો શહીદ થઇ ગયા છે. જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

INS રણવીર નવેમ્બર ૨૦૨૧ થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ જમાવટ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. આ મામલે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક નેવી હોસ્પિટલમાં ૧૧ જવાનોની સારવાર ચાલી રહી છે.

(9:54 am IST)