Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

હાઇકોર્ટના આદેશથી દોઢ મહિના પહેલા દિલ્હીના ચાંદની ચોકમાં આવેલું હનુમાનજીનું મંદિર તોડી પડાયુ હતું : રામભક્તો તથા હનુમાન ભક્તોએ રાતોરાત ફરીથી બનાવ્યું : પૂજા આરાધના શરૂ : વીઈઓ વાઇરલ

ન્યુદિલ્હી : હાઇકોર્ટના આદેશથી દોઢ મહિના પહેલા દિલ્હીના ચાંદની ચોકમાં આવેલું હનુમાનજીનું મંદિર તોડી પડાયુ હતું .જે રામભક્તો તથા હનુમાન ભક્તોએ રાતોરાત ફરીથી બનાવી લીધું છે.સ્ટીલના આ મંદિરમાં પૂજા તથા અર્ચના પણ શરૂ થઇ ગઈ હોવાનો વિડિઓ વાઇરલ થયો છે.

નોર્થ દિલ્હી મેયર જયપ્રકાશે રાતોરાત મંદિર નિર્માણ થયું હોવાની વાતને સમર્થન આપ્યું હતું.તથા જણાવ્યું હતી કે કોણે  આ મંદિર ત્યાં ફરીથી મૂક્યું તે અંગે કોઈ માહિતી મળતી નથી.પરંતુ રામભક્તો અને હનુમાન ભક્તોએ રાતોરાત સ્ટીલનું મંદિર પ્રસ્થાપિત કરી દીધું છે.અને આપણે તેઓની ધાર્મિક આસ્થાનું સન્માન કરુવું જોઈએ.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:30 pm IST)