નવી દિલ્હી,તા. ૧૯: દેશના મોટા શહેરોમાં કહેર વર્તાવ્યા બાદ કોરોના વાયરસની બીજી લહેર હવે ગ્રામ્ય વિસ્તારોમાં તાંડવ મચાવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો કોરોનાનો સામનો કરવા માટે પૂરતી સુવિધાઓ પણ નથી. જેના કારણે પરિસ્થિતિ વકરી રહી છે.
રાજધાની દિલ્હીથી ૧.૫ કલાક દૂર બાસીમાં ૫,૪૦૦ની વસ્તી છે જેમાંથી છેલ્લા ત્રણ સપ્તાહથી ત્રીજા ભાગની વસ્તી બીમાર છે અને ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં કોઈ પણ જાતની સ્વાસ્થ્ય સુવિધાઓ નથી, ડોકટરો પણ નથી કે ઓકિસજનની બોટલો પણ નથી. ગામમાં લોકો વધારે ભણેલા નથી જેથી તેઓ શહેરી લોકોની જેમ ટ્વિટર પર મદદ માટે અપીલ પણ કરી શકે.
ખેડૂત સમુદાયના નવા ચૂંટાયેલા વડા સંજીવ કુમારે જણાવ્યું હતું કે, ગામમાં મોટા ભાગના લોકો એટલા માટે મરી રહ્યા છે કેમ કે અહીં ઓકિસજન ઉપલબ્ધ નથી. બીમાર લોકોને જિલ્લા હેડકવાર્ટર ખાતે લઈ જવામાં આવે છે અને ગંભીર રીતે બીમાર દર્દીઓને ચાર કલાક સુધી ટ્રાવેલ કરીને હોસ્પિટલ પહોંચવું પડે છે. જોકે, તેમાંથી ઘણા લોકો સમયસર પહોંચી શકતા નથી.
જોકે, આ ફકત એક જ ગામની વાત નથી. ભારતના મોટા ભાગના ગામડાઓમાં આવી જ પરિસ્થિતિ છે. દેશના જુદા-જુદા ભાગના ૧૮ નાના શહેરો અને ગામડાઓના આગેવાનો સાથે વાતચીત કર્યા બાદ અધિકારીઓએ નોંધ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર જોા મળી રહ્યો છે અને આખાને આખા પરિવારો સાફ થઈ રહ્યા છે. પૂરતા કામદારો ન હોવાના કારણે મૃતદેહોને ગંગા નદીમાં વહાવી દેવામાં આવે છે.
ઘણા લોકો કહી રહ્યા છે કે સત્ત્।ાવાર આંકડાઓ જાહેર થઈ રહ્યા છે તેના કરતા પરિસ્થિતિ વધારે વિકટ છે. ગામવાસીઓને તાવ હોવા છતાં તેઓ પોતાના દ્યર છોડવામાં ડરી રહ્યા છે અને તેના કારણે સ્થાનિક સત્ત્।ાવાળાઓ વાયરસથી થતાં ચોક્કસ મૃત્યુઆંક નોંધવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી ભારતમાં ૨,૭૪,૩૯૦ લોકોના મોત થયા છે.
ગત વર્ષે કોરોનાની શરૂઆત બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતી મેડિકલ સુવિધાઓ ન ઊભી કરી શકવા બદલ સ્થાનિક સત્ત્।ાવાળાઓ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વહિવટી તંત્ર પર રોષે ભરાયા છે. ગામડાઓમાં પૂરતા ઓકિસજન સપ્લાય નથી અને વેકસીન પણ નથી. ગત મહિને બાસી તથા ઉત્ત્।ર પ્રદેશના અન્ય ભાગોમાં સ્થાનિક ચૂંટણીમાં સત્ત્।ારૂઢ ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો હતો.
ઉત્ત્।ર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા વડાપ્રધાન મોદી અને ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે વિજય મેળવવાનો ઘણો મોટો પડકાર હશે. વડાપ્રધાન માટે કોરોના મોટો પડકાર બન્યો છે. આ ઉપરાંત અર્થતંત્રની ખરાબ હાલત સામે પણ તેમને લડવાનું છે.
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ટ્રાવેલ કંપની ધરાવતા રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર બંને અમારા માટે નિષ્ફળ રહી છે. ભારત પાસે તૈયારીઓ માટે આખું વર્ષ હતું પરંતુ વ્યકિતગત શ્રેય અને પ્રતિષ્ઠા માટે ભારત બહાર વેકસીન મોકલ્યા સિવાય બીજુ કંઈ કરવામાં આવ્યું નથી. હોસ્પિટલોમાં બેડ નથી, દવાઓ નથી અને લોકોને મરવા માટે છોડી દેવામાં આવ્યા છે. ઉજ્જૈન અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે સપ્તાહમાં આખા પરિવારો મરી ગયા છે.
ઉત્ત્।રાખંડમાં પણ પરિસ્થિતિ વણસી છે. ઉત્ત્।રાખંડમાં ૩૧ માર્ચથી ૨૪ એપ્રિલ દરમિયાન કુંભ મેળાનું આયોજન થયું હતું. જેમાં નવ લાખથી વધારે લોકોએ ભાગ લીધો હતો. કુંભ મેળો સમાપ્ત જાહેર કરાયા બાદ ઉત્ત્।રાખંડમાં કોરોનાના કેસની સંખ્યામાં ૨૦ ગણો ઉછાળો નોંધાયો હતો. પ્રવાસીઓની સુવિધાઓ માટે મદદ કરતા નવિન મોહને જણાવ્યું હતું કે, ઋષિકેશમાં એવું એક પણ ઘર નહીં હોય જયાં કોઈ બીમર નહીં પડ્યું હોય. હરિદ્વારમાં પણ આવી જ પરિસ્થિતિ છે.
કોરોનાનો રોગચાળો હવે હકિકતમાં નિયંત્રણની બહાર થઈ ગયો છે. હજારો લોકો મરી રહ્યા છે અને આગામી સપ્તાહોમાં હજારો લોકો મરી જશે. સરકાર આંકડાઓ છૂપાવી રહી છે પરંતુ વાસ્તવિકતા બધી જ જગ્યાએ દેખાઈ રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.