Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

એક વિવાહ ઐસા ભી

લગ્ન સ્થળથી રહસ્યમય રીતે ગાયબ થયો વરરાજાઃ દુલ્હને જાનમાં ગેસ્ટ તરીકે આવેલા યુવક સાથે લીધા સાત ફેરા

કાનપુર, તા.૧૯: ઉત્તર પ્રદેશના કાનપુરમાં લગ્ન સમારંભ દરમિયાન એક અજીબ ઘટના સામે આવી છે. ઘટના મહારાજપુર વિસ્તારની છે. જયાં વરમાળા પછી વરરાજા રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં દુલ્હને જાનમાં આવેલા એક યુવક સાથે લગ્ન કરી લીધા. આ દ્યટના પ્રકાશમાં આવ્યા બાદ શહેરભરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, વરમાળા પૂર્ણ થયા બાદ બંને પરિવાર લગ્નના મુખ્ય પ્રસંગની તૈયાર કરી રહ્યા હતા ત્યારે વરરાજા અચાનક ગાયબ થઈ ગયા હતો. બંને પરિવારોએ વરરાજાની શોધ શરૂ કરી અને અચાનક વરરાજા ગાયબ થઈ ગયો હોવાની જાણ થતાં દુલ્હન અને તેનો પરિવાર ગભરાઇ ગયો. થોડી વાર શોધખોળ કર્યા પછી દુલ્હનના પરિવારજનોને ખબર પડી કે વરરાજા જાણી જોઈની ગાયબ થઈ ગયો છે અને આ પાછળનું કારણ તે જ જાણે છે.

દુલ્હનના પરિવારને પરેશાન જોઈને વરરાજા સાથે આવેલા એક મહેમાને સૂચવ્યું કે જાનમાં આવેલા બીજા સારા છોકરા સાથે લગ્ન કરાવી દે. દુલ્હનના પરિવારે જાનમાં આવેલા એક છોકરાની પસંદગી કરી અને સંબંધિત પરિવારો સંમતિ પછી તે સ્થળે જ લગ્ન કરવામાં આવ્યા હતા.

બાદમાં દુલ્હનના પરિવારે ભાગેડુ વર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્સ્પેકટર શેષ નારાયણ પાંડેએ જણાવ્યું હતું કે અમને વરરાજા અને કન્યા પક્ષ બંને તરફથી ફરિયાદો મળી છે. દુલ્હન પક્ષે વરરાજા અને તેના પરિવારના સભ્યો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે જ સમયે ભાગેડુ વરરાજાના પિતા ધરમપાલે પોલીસ ફરિયાદમાં તેના ગુમ થયેલા પુત્રને શોધવા માટે મદદ માંગી છે. સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

(4:10 pm IST)