Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 34,031 કેસ નોંધાયા : વધુ 594 લોકોનાં મોત

મુંબઈમાં 1350 કોરોના કેસ અને 57 લોકોનાં મોત: રાજ્યમાં વધુ 51,457 લોકો સ્વસ્થ થયા

મુંબઈ : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વિનાશ વેરી રહી છે. પરંતુ હવે ત્રણ દિવસથી કોવિડ 19 ના રોજનાં કેસ ત્રણ લાખથી પણ નીચે આવી રહ્યા છે. જોકે બુધવારે નોંધાયેલા કેસોમાં થોડો વધારો થયો હતો.કોરોનાથી થતાં મૃત્યુએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બુધવારે દેશમાં કોરોના વાયરસને કારણે 4529 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ભાજપના ધારાસભ્ય ગૌતમ લાલ મીનાનું કોરોનાથી અવસાન થયું છે. દિલ્હીમાં મ્યુકોરામાઇકોસીસનાપણ ઘણા કેસ સામે આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,031 કેસ નોંધાયા છે અને 594 લોકોનાં મોત નીપજ્યાં છે.આ સમયગાળા દરમિયાન, 51,457 લોકો પણ સ્વસ્થ બન્યા હતા.

છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 1350 કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 57 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન, 4,565 લોકો પણ સ્વસ્થ બન્યા હતા.

(11:11 pm IST)