Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

દેશમાં કોરોનાની સ્પીડ ઘટી :નવા 2.76 લાખથી વધુ કેસ :વધુ 3,68 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :વધુ 3876 લોકોના મોત : મૃત્યઆંક 2,87 લાખને પાર

સૌથી વધુ તામિલનાડુમાં 34875 કેસ, કર્ણાટકમાં 34,281 કેસ.મહારાષ્ટ્રમાં 34.031 કેસ, કેરળમાં 32,762 કેસ, આંધ્રપ્રદેશમાં 23,160 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,006 કેસ. ઓરિસ્સામાં 11,099 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે 

દેશમાં કોરોનાનાં 2.76,059 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3,68,788 નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2,23,48,683 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.76,059 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3876 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.87,156 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.78.059 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,57,71,405 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 31,25,140એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,68,788 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  2,23,48,683 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 34875 કેસ, કર્ણાટકમાં 34,281 કેસ.મહારાષ્ટ્રમાં 34.031 કેસ, કેરળમાં 32,762 કેસ, આંધ્રપ્રદેશમાં 23,160 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,006 કેસ. ઓરિસ્સામાં 11,099 કેસ નોંધાયા છે

(1:11 am IST)