Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

૨૪ કલાકમાં ૩૮૧૬૪ નવા કેસઃ ૪૯૯ના મોત

દેશમાં એકટીવ કેસ ૪૨૧૬૬૫: કુલ કેસ ૩૧૧૪૪૨૨૯: કુલ મૃત્‍યુઆંક ૪૧૪૧૦૮

નવી દિલ્‍હી, તા. ૧૯ :. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્‍ચે ભારતમાં આજે કોરોનાના નવા કેસ ઘટયા છે. મળતા આંકડા અનુસાર દેશભરમાં કોરોનાના ૩૮૧૬૪ નવા કેસ સામે આવ્‍યા છે જ્‍યારે આ દરમિયાન ૩૮૬૬૦ દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એવી છે કે સાજા થનારાનો દર સતત ૯૭ ટકાની ઉપર છે.

આ પહેલા રવિવારે નવા કેસ ૪૦ હજાર ઉપર નોંધાયા હતા. જેનાથી ચિંતા ઉપજી હતી. દેશમાં અત્‍યાર સુધીમાં કોરોનાથી ૩ કરોડ ૩ લાખ ૮ હજાર ૪૫૬ લોકો સાજા થયા છે. કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૪૯૯ લોકોના મોત થયા છે.

કુલ કેસ ૩૧૧૪૪૨૨૯ નોંધાયા છે જ્‍યારે એકટીવ કેસ ૪૨૧૬૬૫ છે. કુલ ૩૦૩૦૮૪૫૬ લોકો સાજા થયા છે અને અત્‍યાર સુધીમાં કુલ ૪૧૪૧૦૮ લોકોના મોત થયા છે.

અત્‍યાર સુધીમાં ૪૦૬૪૮૧૪૯૩ લોકોને વેકસીન આપવામાં આવી છે.

 

(10:16 am IST)