Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

એક વોર્ડ અથવા એક ગામમાં જ ગણેશોત્સવને મંજૂરી

બેંગલુરૂ : કોરોનાના કારણે ગણેશ ઉત્સવ પણ સાદગીથી ઉજવવામાં આવશે. કર્ણાટક સરકારે અધિકારીઓને સલાહ આપી છે કે સાર્વજનીક સમારોહની સંખ્યા એક વોર્ડ અથવા ગામ સુધી જ સીમિત રખાય.

સરકાર લોકોને કોરોનાની તકેદારી રૂપે એક વોર્ડ અથવા ગામમાં અનેક મુર્તિઓની સ્થાપના ન કરવા અંગે સમજાવાના પ્રયત્નો કરી રહી છે. સરકારે સાવધાની રૂપે ગણેશ પ્રતિમાને સ્થાપીત કરવા ;મયે અથવા વિર્સજન વખતે સરઘસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જયારે ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ સાર્વજનીક સમારોહ માટે ૪ ફૂટ અને ઘરમાં સ્થાપન માટે બે ફૂટ સુધીની નકકી કરી છે. ઘરમાં સ્થાપિત પ્રતિમાને પોતાના પરિસરમાં વિસર્જીત કરવી ફરજીયાત છે.

(3:02 pm IST)