Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

૩ દિવસમાં ૨૦૦ કૂતરાના ભેદી મોત

કોલકતાઃ પશ્ચિમ બંગાળના બાંકરા જિલ્લાના વિષ્ણુપર કસ્વામાં છેલ્લા ૩ દિવસમાં ૨૦૦થી વધુ કૂતરાના અચાનક મોત નિપજતા સનસનાટી ફેલાય ગઈ છે. અજ્ઞાત બિમારીએ કૂતરાઓના જીવ લેતા ભય પણ ફેલાયો છે. મંગળવારે ૬૦, બુધવારે ૯૭ અને ગુરૂવારે ૪૫ કૂતરાના મોત નિપજેલ. વાયરલ ઈન્ફેકશનથી મોત થયાનું મનાય છે.

પશુ ચિકિત્સકોએ લોકોને ગભરાટ નહિ સર્જવા અને આનાથી માનવ કે બીજા પશુઓમાં રોગ ફેલાવાનો કોઈ ભય નથી તેમ જણાવેલ. ડમ્પીંગ ગ્રાઉન્ડમાં તમામને દાટી દેવામાં આવ્યા છે.

(10:15 am IST)