Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કેટલાક ફેરફારો શરૂઆતમાં ખરાબ લાગે છે, પરંતુ લાંબા ગાળે દેશને ફાયદો થશે : અગ્નિપથ વિવાદ વચ્ચે PM મોદીનું નિવેદન : ત્રણેય સેનાઓએ યોજના પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો : જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી ચાલુ

ન્યુદિલ્હી : અગ્નિપથ વિવાદ વચ્ચે PM મોદીએ જણાવ્યું હતું કે કેટલાક ફેરફારો શરૂઆતમાં ખરાબ લાગે છે, પરંતુ લાંબા ગાળે દેશને ફાયદો થશે .

ઘણી સંસ્થાઓએ આજે એટલે કે સોમવાર, 20 જૂને અગ્નિપથ યોજનાના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનને કારણે બિહાર, ઉત્તર પ્રદેશમાં ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. તે જ સમયે, રવિવારે, ત્રણેય સેનાઓએ યોજના પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો છે. સાથોસાથ જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.સશસ્ત્ર દળોમાં ભરતી માટેની 'અગ્નિપથ' યોજનાનો વિરોધ ચાલુ છે. દરમિયાન અનેક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે.

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી રેલી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માટે જુલાઈથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલ નવી પ્રક્રિયા હેઠળ, સૈનિકો અગ્નિપથ દ્વારા સશસ્ત્ર દળોનો ભાગ બનશે. ખાસ વાત એ છે કે તેમની સેવાનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:05 pm IST)