Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કોરોના માટે દવાઓનો ૩૦ દિવસનો બફર સ્ટોક રખાશે

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે સરકાર સાવચેત : સરકાર પેરાસિટામોલ, એન્ટિબાયોટિક, વિટામિન જેવી સામાન્ય દવાઓ અને સપ્લિમેન્ટસ ફરી એકત્રિત કરે છે

નવી દિલ્હી, તા.૧૯ : દેશમાં કોરોનાની ત્રીજી લહેરને જોતા કેન્દ્ર સરકારએ જરૂરી દવાઓ રેમડેસિવિર અને ફિવિપિરાવિરનો ૩૦ દિવસનો બફર સ્ટોક રાખવાનો નિર્ણય લીધો છે, તે ઉપરાંત સરકાર પેરાસિટામોલ, એન્ટિબાયોટિક દવાઓ અને વિટામિન જેવી સામાન્ય દવાઓ અને સપ્લિમેન્ટસ ફરીથી એકત્રિત કરી રહી છે. બીજી લહેરમાંથી બોધપાઠ લઇને સરકારે જરૂરી દવાઓની અછત ઉભી ન થાય તે માટે યુધ્ધનાં ધોરણે કાર્યવાહી શરૂ કરી છે.

સરકારે રેમડિસવિરની ૫૦ લાખ શીશીઓ ખરીદવાની યોજના બનાવી છે, ૈંઝ્રસ્ઇનાં મુખ્ય સંક્રામક રોગ નિષ્ણાત ડો. સમીરન પાંડાએ આશંકા વ્યક્ત કરી છે, કે આગામી લહેરમાં દરરોજનાં કેસમાં લગભગ ૫૦ ટકાની વૃધ્ધી થઇ શકે છે, ઓગસ્ટમાં આવનારી લહેર દરમિયાન દરરોજ એક લાખથી વધુ કેસ આવી શકે છે. નિષ્ણાતોએ વર્તમાનમાં આવી રહેલા દૈનિક સરેરાસ ૪૦થી ૪૫ હજાર કેસનાં આધારે આ અનુમાન વ્યક્ત કર્યું છે.

ડો. પાંડાનાં જણાવ્યા પ્રમાણે બીજી લહેર વિધાન સભા ચુંટણીઓ અને કોવિડ ગાઇડલાઇનનાં ઉલ્લંઘનનાં કારણે આવી હતી, જો કે હાલમાં પણ અનિયત્રિત ભીડ અને રસીકરણ પુર્વે સરકારો દ્વારા રાહત આપવામાં આવી રહી છે, જેના કારણે ત્રીજી લહેર આવી શકે છે.

(12:00 am IST)