Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મણિપુર કોંગ્રેસ અધ્યક્ષ ગોવિનદાસે રાજીનામુ ફગાવ્યું, ૮ ધારાસભ્યો સાથે ભાજપમાં ?

મણિપુર કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો  છે. પાર્ટીના અધ્યક્ષ ગોવિનદાસ કોંથૌજામે રાજીનામુ આપી દીધું છે. મીડિયા રિપોટ્સ અનુસાર આજે મણિપુરમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
ગોવિનદાસ કોંથૌજામ  સતત છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહ્યાં છે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં તેમને મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ઝાટકો છે.  કેમ કે આગામી વર્ષના ફેબ્રુઆરીમાં મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
હાલમાં શારદા દેવી મણિપુરના બીજેપી અધ્યક્ષ છે. તેમનાથી પહેલા એસ ટિકેન્દર સિંહ બીજેપી અધ્યક્ષ હતા, જેમનું કોરોનાથી મે મહિનામાં મૃત્યુ થઈ ગયું છે.

(11:31 am IST)