Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગુજરાતના રાજકારણમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસની એન્‍ટ્રીઃ કાલે શહિદ દિવસ મનાવાશેઃ અમદાવાદમાં પોસ્‍ટરો લાગ્‍યાઃ મમતા વર્ચ્‍યુઅલી સંબોધન કરશે

અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં અજબ-ગજબ ઘટના સામે આવી છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મમતા બેનર્જીની પાર્ટી સક્રિય બની ચૂકી છે. અને મમતા બેનર્જીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં 21 જુલાઈએ TMC શહીદ દિવસ મનાવશે. અને ગુજરાતના કાર્યકરોને મમતા બેનર્જી વર્ચ્યુઅલી સંબોધન કરશે. અમદાવાદના ગીતા મંદિર બસસ્ટેંડ ખાતે મમતા બેનર્જીના પોસ્ટર પણ લાગ્યા છે. આ સાથે સ્ક્રીન પર મમતા બેનર્જીનું ભાષણ પ્રસારીત કરાશે. મમતા બેનર્જીના પોસ્ટરથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી જાણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવું  છે.

(5:01 pm IST)