Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગુપ્તાંગ દબાવીને પતિની હત્યાઃપત્ની-પ્રેમીની ધરપકડ

ઉંમરમાં ૨૦ વર્ષ મોટો પતિ પસંદ નહતો : ચાર વર્ષથી પિયરમાં રહેતી પત્નીએ પતિને દાદીના ઘરે બોલાવી પ્રેમિ સાથે મળીને કાવતરૃં પાર પાડ્યું

મૈસુરુ, તા.૨૦ : એક ખૂબ ભયાનક કહી શકાય તેવી ઘટનામાં પતિને ઘેનની દવા આપી તેનું ગુપ્તાંગ દબાવીને મોતને ઘાટ ઉતારનારી પત્નીની તેના પ્રેમી સાથે ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ નવ મહિના પહેલા પોતાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતકના પીએમમાં ખુલાસો થયો હતો કે તેનું મોત વૃષણ પર દબાણ આવવાને કારણે થયેલી ઈજાથી થયું છે.

કર્ણાટકના મૈસુરુની ઘટનામાં વેરહાઉસ કોર્પોરેશનમાં ગ્રુપ ડી એમ્પ્લોઈ તરીકે કામ કરતા એચ.ટી. વેંકટરાજુની હત્યા ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેની પત્ની ઉમા દ્વારા કરવામાં આવી હતી. અંગે માહિતી આપતા જિલ્લા એસપી ચેતન આર દ્વારા જણાવાયું હતું કે, ઉમા ઉંમરમાં વેંકટરાજુથી ૨૦ વર્ષ નાની હતી. તેમના લગ્નને ૧૦ વર્ષ થયા હતા. તેમને વર્ષની દીકરી અને વર્ષનો દીકરો છે. જોકે, ઉમાને પોતાનો પતિ પસંદ નહોતો અને તે પોતાના માતાપિતાના ઘરની પાસે રહેતા એક યુવકના પ્રેમમાં હતી.

ઉમા છેલ્લા ચાર વર્ષથી પિયરમાં રહેતી હતી. જોકે, ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેણે વેંકટરાજુને પોતાની દાદીના ઘરે બોલાવ્યો હતો. ત્યાં ઉમાએ પતિને કૉફીમાં ઉંઘની ગોળીઓ નાખીને તેને બેહોશ કરી નાખ્યો હતો. વેંકટરાજુ એકદમ બેહોશ થઈ ચૂક્યો છે તે વાતની ખાતરી થતાં ઉમાએ પોતાના પ્રેમી અવિનાશે જણાવ્યું હતું તે અનુસાર તેનું ગુપ્તાંગ જોરથી દબાવીને મસળી દીધું હતું.

પતિનું ગુપ્તાંગ મસળી દીધા બાદ ઉમાએ ઓશિકા વડે તેનું મોઢું પણ દબાવી દીધું હતું, અને તે ખરેખર મોતને ભેટ્યો છે કે કેમ તે સુનિશ્ચિત કર્યું હતું. ઉમાએ વેંકટરાજુની હત્યા એવી રીતે કરી હતી કે શરીર પર ક્યાંય કોઈપણ પ્રકારની ઈજાના ઘા ના દેખાય. વેંકટરાજુના મોત બાદ ઉમાએ એવી સ્ટોરી ઉભી કરી હતી કે તે મળવા આવ્યો ત્યારે કૉફી પીધા બાદ અચાનક ચક્કર ખાઈને પડી ગયો, અને પછી ઉભો ના થયો.

ઉમા છેલ્લા ઘણા સમયથી પિયરમાં રહેતી હોવાથી તેમજ વેંકટરાજુ તેને પસંદ ના હોવાથી ઉમાનો દાવો મૃતકના પરિવારજનોને શંકાસ્પદ લાગ્યો હતો. આખરે વેંકટરાજુના ભાઈએ તેનું મોત અકુદરતી રીતે થયું હોવાનો દાવો કરી ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે મૃતકનું પીએમ કરાવ્યું હતું. મૃતકના વિસેરા રિપોર્ટ પણ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા, જેનો તાજેતરમાં રિપોર્ટ આવતા તેમની ઈજાનું કારણ કુદરતી નહીં પરંતુ ગુપ્તાંગમાં થયેલી ઈજા હોવાનું ખૂલ્યું હતું.

વેંકટરાજુનું મૃત્યુ અકુદરતી હોવાનું ખૂલતા તેના પરિવારજનોએ ઉમા પર શંકા વ્યક્ત કરી હતી. વળી, ઉમાએ જે સંજોગોમાં પતિને બોલાવ્યો હતો તે પણ શંકાસ્પદ લાગતા પોલીસે આખરે તેની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી. જેમાં ઉમા ભાંગી પડી હતી, અને તેણે જણાવ્યું હતું કે પતિ ના ગમતો હોવાથી તેણે પ્રેમી સાથે મળીને તેનું મર્ડર કરવાનો પ્લાન કર્યો હતો. જેના માટે તેના પ્રેમીએ પણ તેને મદદ કરી હતી. કેસમાં પોલીસે ઉમા અને તેના પ્રેમીની ધરપકડ કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

(7:35 pm IST)