Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સુશાંત પ્રકરણમાં CBIની સમાંતર મુંબઇ પોલીસ પણ તપાસ કરશે?

મુંબઇ પોલીસ સાચી દિશામાં કામ કરતી હતીઃ બિહાર પોલીસ તપાસ કરશે એ અપમાનજનક

શિવસેનાના મુખપત્ર ''સામના''માં ઉપર મુજબની વાત કહેવામાં આવી છે. સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસ સીબીઆઇને સોંપવાના સુપ્રિમના આદેશનું અમે સમ્માન કરીએ છીએ પણ આ કેસ સીબીઆઇને સોપવાનો નિર્ણય ઉચિત તો નથી જ.

સુશાંત મોત મામલે મુંબઇ પોલીસ અને સરકાર સતત શંકાના દાયરામાં છે.

જે રીતે ગૃહમંત્રી અનિલ દેશમુખ અને શિવસેના જે રીતે મુંબઇ પોલીસનો બચાવ કરી રહેલ છે. તે જોતા એવી અટકળો કરવામાં આવી રહી છે કે મુંબઇ પોલીસ પણ સીબીઆઇની સમાંતર પોતાની તપાસ ચાલુ રાખી શકે છે.

દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ છે કે સીબીઆઇની તપાસમાં  મુંબઇ પોલીસ પુરો સહકાર આપશે. તેમણે સુપ્રિમકોર્ટના ચુકાદાને આવકાર આપ્યો હતો. અમારી તપાસમાં કોઇ ભુલ ન હતી, તે વાત સુપ્રિમે ધ્યાને લીધી છે તે મુંબઇ પોલીસ માટે ગર્વની વાત છે.

એક પ્રશ્નના જવાબમાં દેશમુખે જણાવેલ કે સર્વોચ્ચ ન્યાયાલયના હુકમ અનુસાર સમાંતર તપાસ કરવી કે કેમ તે અંગે રાજય સરકાર વિચારશે.

(4:05 pm IST)