Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પૂર્વ સીએમ અમરિન્દરસિંહે નવા સીએમ ચરણજિતસિંહ ચન્નીને શુભેચ્છા પાઠવી : કહ્યું -સરહદ પારના ખતરાથી લોકોને બચાવશે

નવી દિલ્હી :  પંજાબના પૂર્વ સીએમ અમરિન્દરે ચન્નીને અભિનંદન પાઠવ્યાં છે અમરિન્દરસિંહે કહ્યું હતું કે તેઓ સરહદ પારના ખતરાથી લોકોને બચાવશે 

ચન્નીને અભિનંદન આપતા અમરિન્દરે ટ્વિટ કરીને જણાવ્યું કે ચરણજીત સિંહ ચન્નીને મારી શુભકામનાઓ. આશા રાખું કે તેઓ પંજાબની સરહદ ને સુરક્ષિત રાખીને સરહદ પારના ખતરાથી આપણા લોકોની રક્ષા કરશે.

પંજાબ વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ આવતીકાલે સવારે 1 વાગ્યે ચરણજીત ચન્ની મુખ્યમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે.

ચરણજીત સિંહ ઘણા લાંબા સમયથી કેપ્ટન અમરિન્દરની સામે બળવો પોકારી રહ્યાં હતા. તેઓ 2015 થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે

(12:00 am IST)