Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

તહેવારોને લીધે આગામી સપ્તાહે પાંચ દિવસ બેન્કો બંધ

રજાઓને લીધે બેક્નોનું કામકાજ ખોરવાશે : ઓક્ટોબર મહિનામાં ૨૧ દિવસની રજાઓ છે, આવા સમયે ભારતના ઘણા શહેરોમાં સળંગ પણ બેંક બંધ રહેશે

નવી દિલ્હી, તા.૧૯ : ઓક્ટોબર મહિનામાં પુરા ૨૧ દિવસ બેંકમાં રજાઓ છે. ઓક્ટોબર ૨૦૨૧માં નવરાત્રિ, દશેરા સહિત ઘણા અન્ય ઘણા તહેવારોના કારણે બેંક બંધ રહી છે અને આગામી સમયમાં પણ બેંક બંધ રહેશે. આ દિશામાં તમને જણાવવાનું રહે છે કે આજથી આ અઠવાડિયામાં પુરા ૫ દિવસ બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકએ ઓક્ટોબર મહિનામાં સત્તાવાર રજાઓની એક યાદી જાહેર કરી છે, જે અનુસાર, ઓક્ટોબર મહિનામાં ૨૧ દિવસની રજાઓ છે. આવા સમયે ભારતના ઘણા શહેરોમાં સળંગ પણ બેંક બંધ રહેશે. તમને જણાવી દઈએ કે, આ ૨૧ દિવસની રજાઓમાં સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર રવિવારની સાથે સાથે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે.

સત્તાવાર રજાઓની યાદીમાં આ અઠવાડિયામાં ૫ દિવસ બંધ રહેશે. જોકે તમને જણાવી દઈએ કે દેશભરની તમામ બેંક દરરોજ બંધ રહેશે નહીં, કારણ કે આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓની યાદીમાં અમુક સ્થાનિક તહેવારો ઉપર પણ નિર્ભર હોય છે, એટલે અમુક રજાઓ માત્ર અમુક રાજ્યો માટે હોય છે બાકી અન્ય રાજ્યોમાં તમામ બેકિંગ કાર્ય સામાન્ય દિવસોની જેમ ચાલું રહેશે.

આજે એટલે કે ૧૯ ઓક્ટોબરે ઈદ-એ-મિલાદ, ઈદ-એ-મિલાદુન્નબી, મિલાદ-એ-શરીફ, બારાવફાતની રજા છે. ત્યારબાદ આ અઠવાડિયામાં પુરા ૫ દિવસ બેંક બંધ રહેશે. ૧૯ ઓક્ટોબર- ઈદ-એ-મિલાદ, ઈદ-એ-શરીફ, બારાવફાત- અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, દહેરાદૂન, હૈદરાબાદ, ઈંફાલ, જમ્મૂ, કાનપુર, કોચ્ચિ, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહી. ૨૦ ઓક્ટોબર- મહર્ષિ વાલ્મીકિનો જન્મ દિવસ, લક્ષ્મી પુજા, ઈદ-એ-મિલાદ, અગરતલા, બેંગ્લુરું, ચંદીગઢ, કોલકાતા અને શિમલામાં બેંક બંધ. ૨૨ ઓક્ટોબર- ઈદ-એ-મિલાદ- ઉલ-નબી પછી શુક્રવાર જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ. ૨૩ ઓક્ટોબર- શનિવાર (મહિનાનો ચોથો શનિવાર). ૨૪ ઓક્ટોબર- રવિવાર (સાપ્તાહિક રજા). ૨૬ ઓક્ટોબર- વિલય દિવસ- જમ્મૂ અને શ્રીનગરમાં બેંક બંધ. ૩૧ ઓક્ટોબર- રવિવાર (સાપ્તાહિક રજા).

(12:00 am IST)