Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પતિ-પત્નિના ઝઘડામાં દસ ઘર સળગી ગયાં

સાતારાની ઘટનામાં ગુસ્સે થઈ ગયેલા પતિએ પોતાના જ ઘરને આગ ચાંપ્યા બાદ ગેસનું સિલિન્ડર ફાટતાં આગ આજુબાજુમાં ઘરોમાં પણ પ્રસરીઃ લોકોએ પતિની કરી જબરી ધુલાઈ

ભોપાલ, તા.૨૦: પતિ અને પત્નિ વચ્ચે અવારનવાર ઝદ્યડા થતા હોય છે. જોકે થોડો સમય બંને વચ્ચે અબોલા રહ્યા બાદ બધું ઠીક થઈ જતું હોય છે. સાતારામાં જોકે પતિ-પત્નીના ઝઘડાની ચોંકાવનારી ઘટના સોમવારે રાત્રે બની હતી. ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની સાથેના ઝઘડા બાદ પોતાના જ ઘરને આગ ચાંપી હતી, જે ઝડપથી આસપાસમાં પ્રસરતાં ૧૦ ઘર બળીને ખાક થઈ ગયાં હતાં. આગ માટે પતિ જવાબદાર હોવાનું જાણ્યા બાદ લોકોએ તેની જોરદાર ધુલાઈ કરી હતી. આ ઘટનામાં ૫૦ લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ સાતારા જિલ્લાના પાટણ તાલુકામાં આવેલા માજલગામમાં રહેતા સંજય પાટીલનો તેની પત્ની સાથે સોમવારે સાંજે કોઈક કારણસર મોટો ઝઘડો થયો હતો. ઝદ્યડા બાદ આવેશમાં આવીને સંજયે પોતાના ઘરને જ આગ ચાંપી દીધી હતી. આગને લીધે ગેસનું સિલિન્ડર ફાટતાં આગ ઝડપથી આસપાસનાં ઘરોમાં પ્રસરતાં ૧૦ ઘર ખાક થઈ ગયાં હતાં.

અચાનક આગ ફાટી નીકળવાને લીધે ઘરોની બહાર દોડી આવેલા લોકોને બાદમાં ખ્યાલ આવ્યો હતો કે સંજય પાટીલને કારણે આગ લાગી હતી. ત્યારે તેમણે તેને પકડીને જોરદાર ધુલાઈ કરીને પોલીસને હવાલે કર્યો હતો. પતિ અને પત્ની વચ્ચે કયા કારણસર ઝઘડો થયો હતો એની તપાસ પોલીસે શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.  બદલાપુર-પશ્યિમમાં આવેલા શનિનગરમાં ચાર દિવસ પહેલાં સસરાએ વહુ ઘરમાં હતી ત્યારે દ્યરને આગ ચાંપવાની દ્યટના બની હતી. પોલીસે આપેલી માહિતી મુજબ કિસન જાધવ પુત્ર, પુત્રવધૂ અને બે પૌત્રો સાથે રહે છે. ચાર દિવસ પહેલાં બપોરે કિસન જાધવનો પુત્રવધૂ સાથે ઝઘડો થયા બાદ કિસને ઘરને આગ ચાંપી હતી. આગ લગાવતાં પહેલાં કિસન જાધવે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પુત્રવધૂએ બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને ફાયર બ્રિગેડના જવાનોની મદદથી આગમાંથી બહાર કાઢ્યાં હતાં. ગંભીર રીતે દ્યવાયેલા સસરા કિસન જાધવને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. ગંભીર રીતે જખમી પુત્રવધૂની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

(3:38 pm IST)