Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

દેશમાં કોરોનાના સતત ઘટતા કેસ વચ્ચે 6138 લોકોના મોત : નવા 93.828 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.48,951 દર્દીઓ રિકવર થયા : વધુ 6138 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.59.695 થયો :એક્ટિવ કેસ ઘટીને 11.65.487 થયા : કુલ કેસની સંખ્યા 2.91.82.072 થઇ

સૌથી વધુ તામિલનાડુમાં 17.321 કેસ, કેરળમાં 16.204 કેસ,મહારાષ્ટ્રમાં 10.989 કેસ, કર્ણાટકમાં 10.959 કેસ, આંધ્રપ્રદેશમાં 8766 કેસ,ઓરિસ્સામાં 6019 કેસ, પશ્ચિમ બંગાળમાં 5384 કેસ,આસામમાં 3751 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં માં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 93.828 કેસ નોંધાયા છે. જ્યારે 1.48.951 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 93.828 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 6138 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,59.695 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.48.951 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,91.82.072 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 11.65.487 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.48.951 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,76.45.225 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 17.321 કેસ, કેરળમાં 16.204 કેસ,મહારાષ્ટ્રમાં 10.989 કેસ, કર્ણાટકમાં 10.959 કેસ, આંધ્રપ્રદેશમાં 8766 કેસ,ઓરિસ્સામાં 6019 કેસ, પશ્ચિમ બંગાળમાં 5384 કેસ,આસામમાં 3751 કેસ નોંધાયા છે   

(12:58 am IST)