Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોરોના સંક્રમિત બાળકો માટે નવી ગાઈડલાઈન જાહેર : રેમડેસિવિર અને સ્ટેરોઈડ આપવા નહીં

બાળકોને શારીરિક ક્ષમતાને જોતા 6 મીનિટ વોક ટેસ્ટ લેવાની પણ સલાહ

નવી દિલ્હી : દેશ કોરોનાની મહામારી સામે છેલ્લા દોઢેક વર્ષથી ઝઝૂમી રહ્યો છે. બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે, તો વળી ત્રીજી લહેરની આશંકાએ પણ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંનેએ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. કેન્દ્ર સરકારે હવે કોરોના સંક્રમિત બાળકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈનમાં સ્પષ્ટ કર્યુ છે કે, સંક્રમિત બાળકોને એન્ટી વાયરલ રેમડેસિવિર આપવુ નહીં. આ સાથે જ એવુ પણ કહ્યુ છે કે, બાળકોને સ્ટેરોયડ આપવાથી પણ બચવુ જોઈએ. આ ગાઈડલાઈનમાં બાળકોને શારીરિક ક્ષમતાને જોતા 6 મીનિટ વોક ટેસ્ટ લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને મોટી સંખ્યામાં ચેપ લાગવાની સંભાવના છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે સ્ટીરોઇડ્સ વધુ ગંભીર દર્દીઓ માટે જ આપવી જોઈએ. મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને આંગળીમાં પલ્સ ઓક્સિમીટર મૂકીને 6 મિનિટ સતત ચાલવાનું કહેવું જોઈએ. જો આ સમય દરમિયાન તેમનું સેચુરેશન 94 કરતા ઓછું જોવા મળે છે, તો પછી શ્વાસ લેવામાં મુશ્કેલી તેમનામાં જોઇ શકાય છે. તેના આધારે, બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા કે કેમ તે અંગે નિર્ણય લઈ શકાય છે.

મંત્રાલયે એમ પણ કહ્યું કે, અસ્થમા ધરાવતા બાળકોને આ પરીક્ષણ લેવાની સલાહ આપવામાં આવતી નથી. માર્ગદર્શિકામાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ દર્દી ગંભીર કોવિડ રોગ બતાવે છે, તો ઓક્સિજન ઉપચાર વિલંબ કર્યા વિના શરૂ થવો જોઈએ.

(10:03 am IST)