Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મુખ્ય આર્થિક સલાહકારની ભવિષ્યવાણી

કોરોના સંકટઃ સંક્રમણની નવી લહેર મે મહિનાના મધ્ય સુધીમાં પીક પર પહોંચશે

નવી દિલ્હી, તા.૨૧: મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) કે વી સુબ્રમણ્યમે મંગળવારે કહયું કે કોરોના મહામારીની હાલની લહેર આવતા મહિનાના મધ્યમાં ચરમ પર પહોંચી શકે છે. તેમણે આશા વ્યકત કરી કે તેની એટલી વ્યાપક અસર અર્થવ્યવસ્થા પર નહીં પડે. દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણ વચ્ચે તેમણે આ વાત કહી છે.

સુબ્રમણ્યમે કહયું કે કોરોના સંક્રમણ ચરમ પર પહોંચવા અંગેનું તેમનુ અનુમાન આઇસીએમઆર સહિતના વિવિધ સંગઠનોના અભ્યાસના આધારે છે. ગ્રેટ લેકસ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા આયોજીત કાર્યક્રમને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે કહયું કે તેઓ આ મહામારીના કોઇ નિષ્ણાંત નથી એટલે તેમના અનુમાનને એ રીતે લેવું જોઇએ.

હાલની લહેરની અર્થવ્યવસ્થા પર અસર અંગે તેમણે કહયું કે તે બહુ વ્યાપક ન હોવી જોઇએ કેમ કે સરકારે ખાસ કરીને એમએસ એમ ઇના ઉત્પાદન નુકશાનને રોકવા માટે ઘણા પગલા લીધા છે. તેમણે કહયું કે ભારતે આ સંકટ સમયને અવસરમાં બદલવાની પહેલ કરી છે અને સપ્લાય ચેનની અડચણો દૂર કરવા ઘણા સુધારાવાદી પગલાઓ લીધા છે.

(11:58 am IST)