Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

દેશમાં કોરોનાની બીજી લહેર અને તેનું મેનેજમેન્ટ ‘મોદી નિર્મિત ત્રાસદી’ છે: મમતા બૅનર્જીનો પ્રહાર

પશ્ચિમ બંગાળમાં બંગાળ એન્જિન જ કામ કરશે, મોદીનું ડબલ એન્જિન નથી જોઈતું

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, દેશમાં કોરોનાની બીજી લહેર અને તેનું મેનેજમેન્ટ ‘મોદી નિર્મિત ત્રાસદી’ છે. અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં બંગાળ એન્જિન જ કામ કરશે, મોદીનું ડબલ એન્જિન નથી જોઈતું.

તેમણે કહ્યુ હતું કે, કોરોનાની બીજી લહેર ખૂબ ઝડપી છે. હું તેને મોદી નિર્મિત ત્રાસદી કહીશ. ન તો ઈન્જેક્શન મળે છે અને ન તો ઓક્સિજન મળે છે. રસી અને દવા બહાર મોકલવામાં આવે છે, જ્યારે દેશમાં તેની કમી છે. તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણી પશ્ચિમ બંગાળમાં બચાવવા માટે અને બંગાળી માતાના સન્માનની લડાઈ છે

(8:06 pm IST)