Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

બળવાખોર ધારાસભ્‍યોએ મૂકી શરતઃ કોંગ્રેસ NCP સાથે ગઠબંધન તોડે છે તો અમે શિવસેનામાં જ રહીશું

માહિતી અનુસાર, એકનાથ શિંદેની સાથે ૨૧ ધારાસભ્‍યો છેઃ આ ધારાસભ્‍યોએ શિવસેના પ્રમુખ અને મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે એક શરત મૂકી છે

મુંબઇ, તા.૨૧: મહારાષ્‍ટ્રના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે શિવસેનાથી નારાજ થયા બાદ રાજ્‍યની રાજકીય સ્‍થિતિ ક્ષણ-ક્ષણે બદલાઈ રહી છે. એકનાથ શિંદે ગુજરાતના સુરતમાં એક હોટલમાં તેમના સમર્થક ધારાસભ્‍યો સાથે રોકાયા છે. મળતી માહિતી મુજબ શિંદેની સાથે ૨૧ ધારાસભ્‍યો છે. આ ધારાસભ્‍યોએ શિવસેના પ્રમુખ અને મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે એક શરત મૂકી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, એકનાથ શિંદેની સાથે આવેલા તમામ ધારાસભ્‍યોએ શરત મૂકી છે કે જો કોંગ્રેસ NCP સાથે ગઠબંધન તોડે છે તો અમે શિવસેનામાં જ રહીશું. આ ધારાસભ્‍યો ઈચ્‍છે છે કે શિવસેના એકનાથ શિંદેના નેતળત્‍વમાં ભાજપ સાથે સરકાર બનાવે.

(3:46 pm IST)