Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અવિનાશભાઇના માર્મિક ભજનોને યાદ કરતા પરિમલ નથવાણી

રાજકોટ : આંધ્રના રાજ્યસભાના સભ્ય અને જામનગર - જામખંભાળીયાના વતની, રિલાયન્સ પરિવારના વડીલ સદસ્ય શ્રી પરિમલભાઇ નથવાણીએ આજે ટ્વીટ કરી સ્વ. અવિનાશભાઇ વ્યાસને હૃદયાંજલી અર્પણ કરી છે. અવિનાશભાઇ રચિત એક અમર રચના 'તેરે દ્વાર ખડા ભગવાન' ટ્વીટર ઉપર મૂકીને લખ્યું છે કે તેઓ સુપ્રસિધ્ધ સંગીતકાર, ગાયક અને ગીતકાર હતા. જેમને સંગીત કલા ક્ષેત્રમાં અમર યોગદાન માટે 'પદ્મશ્રી' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના ખૂબ મર્મસભર ભજન 'તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોળી...'થી શ્રધ્ધાંજલિ અર્પણ કરૃં છું.

 

(3:30 pm IST)