Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મોદી સરકારના મંત્રી જહોન બર્લા પર મમતા સરકારેની મોટી કાર્યવાહી: ગેરકાયદે મકાન તોડી પાડવાનો આદેશ

ચાના બગીચાની જમીન પર ગેરકાયદેસર મકાન બનાવવાનો આરોપ મૂકાયો

તાજેતરમાં જ મોદી સરકારમાં બંગાળના જહોન બર્લા પર મમતા સરકારે મોટી કાર્યવાહી કરી છે, લઘુમતી બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી બર્લા બન્યા છે. જલ્પાઇગુરી જિલ્લા વહીવટીતંત્રે લખીપરા ટી સ્ટેટ મેનેજમેંટએ અલીપુરદ્વારના સાંસદ જ્હોન બર્લાના ચાના બગીચાની જમીન પર ગેરકાયદેસર મકાન બનાવવાનો આરોપ મૂકાયો છે.તે હુકમ મુજબ તેને તોડી શકાય છે.

બ્લોક જમીન અને જમીન મહેસૂલ અધિકારીનો રિપોર્ટ આવ્યા બાદ ડીએમ મૌમિતા ગોદારા બાસુએ કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીને ગેરકાયદેસર રીતે જિલ્લાના બનારહટનાં છામુરચી ખાતે સરકારી જમીન પર કબજો કરીને ત્રણ પાક મકાનો બાંધવામાં આવ્યા છે . બાસુએ ફોન પર કહ્યું, ‘આ જમીન કોઈની ખાનગી સંપત્તિ નથી, પરંતુ લીઝ પર લેવામાં આવેલી જમીન છે, જ્યાં કોઈ પાકું બાંધકામ કરી શકતું નથી. ચાના બગીચાના વહીવટીતંત્રને ગેરકાયદે બાંધકામ દૂર કરવા જણાવ્યું છે. અને કહ્યું છે કે વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ.

સ્થાનિક ટીએમસી આગેવાનોની ફરિયાદ મળ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે બ્લોક જમીન અને જમીન મહેસૂલ અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના સાંસદો જમીન પર ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે. એક વહીવટી સૂત્રએ કહ્યું, “કંપનીએ જિલ્લા વહીવટીતંત્રને તેના પત્રમાં જણાવ્યું છે કે તેણે બુર્લાને ભાડે લીધેલી જમીન પર વેપારી મકાન બનાવવાની મંજૂરી આપી નથી.

બર્લા 2018 સુધી લખીપરા ટી ગાર્ડનમાં કર્મચારી હતી. ચાના બગીચા દ્વારા તેમને ક્વાર્ટર્સ પણ આપવામાં આવ્યા હતા. જ્યારે બર્લાને આ મુદ્દે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

(8:58 pm IST)