Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સચીન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનવા દેવા માટે અશોક ગેહલોત માની ગયા ?

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદ સ્વીકારવા માટે પણ આખરે રાજી થઈ ગયાની ભારે ચર્ચા. રાહુલને હવે ફોર્માલિટી ખાતર મળશે, મનાવશે ! સચીન પાયલોટના નવા  મંત્રીમંડળમા ગેહલોત જુથના ધારાસભ્યોનો દબદબો યથાવત્ રહેવો જોઇએ તેવી ગેહલોતની માગણી ? અચાનક અત્યારે મુંબઈ પહોંચ્યા હોવાના અહેવાલો મળે છે.
આ પૂર્વે પાટનગરમાં ૧૦ જનપથ ખાતે સોનિયા ગાંધી,  પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ અને અશોક ગેહલોત વચ્ચે ૧ કલાક સુઘી મંત્રણા ચાલી અને આખરે અશોક ગેહલોત સચીન પાયલોટને રાજસ્થાનના મુખ્યપ્રધાન તરીકે સ્વીકાર કરવા રાજી થઈ ગયાનું બહાર આવ્યું

(11:26 pm IST)