Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ઇસ્લામિક સ્કોલર મૌલાના વહીદુદ્દીન ખાનનું ૯૬ વર્ષની વયે કોરોનાથી નિધન

પીએમ મોદીએ વ્યકત કર્યું દુઃખ

નવી દિલ્લી,તા.૨૨: ઈસ્લામિક સ્કોલર અને જાણીતા લેખક મહાન વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાનનુ ૯૬ વર્ષની વયે કોરોનાથી નિધન થઈ ગયુ છે. બુધવારે (૨૧ એપ્રિલ) ઈસ્લામિક વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાને અંતિમ શ્વાસ લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહીદુદ્દીન ખાનના મોત પર આજે(૨૨ એપ્રિલ)ની સવાર ટ્વિટ કરીને દુઃખ વ્યકત કર્યુ છે. કોરોના વાયરસ પોઝિટીવ થયા બાદ ૧૨ એપ્રિલે દિલ્લીની અપોલો હોસ્પિટલમાં વહીદુદ્દીન ખાનને ભરતી કરવામાં આવ્યા હતા. વહીદુદ્દીન ખાનને 'મૌલાના' નામથી પણ ઓળખવામાં આવતા હતા.

વહીદુદ્દીન ખાન કુરાનનો સમકાલીન અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. મૌલાના વહીદુદ્દીન ખાનને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવી ચૂકયા છે.પીએમ નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'મૌલાના વહીદુદ્દીન ખાનના અચાનક થયેલા નિધનથી દુઃખી છુ. તેમને ધર્મશાસ્ત્ર અને આધ્યાત્મિકતા મામલે તેમના વ્યાવહારિક જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમને સામાજિક સેવા અને સામાજિક સશકિતકરણનો પણ શોખ હતો. તેમના પરિવાર અને અગણિત શુભચિંતકો પ્રત્યે મારી સંવેદનાઓ છે.'

મૌલાના વહીદુદ્દીન ખાનનો જન્મ ઉત્ત્।ર પ્રદેશના આઝમગઢના બધરિયા ગામમાં ૧ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ થયો હતો. મૌલાના વહીદુદ્દીન ખાનને પૂર્વ સોવિયત સંદ્યના રાષ્ટ્રપતિ મિખાઈલના સંરક્ષણમાં ડેમ્યર્જસ પીસ ઈન્ટરનેશનલ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૦૦માં વહીદુદ્દીન ખાનને ભારત સરકારે પદ્મભૂષણથી નવાજયા હતા. તેમને મધર ટેરેસા તરફથી નેશનલ સિટિઝન્સ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજીવ ગાંધી નેશનલ સદભાવના પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૧માં તેમને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

(10:20 am IST)