Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

દિલ્હી હાઇકોર્ટ આકરા પાણીએઃ કેન્દ્ર સરકારને આડે હાથ દીધી

ભીખ માંગો... ઉધાર લ્યો... ચોરી કરો પણ દર્દીઓને ઓકસીજન આપો

અમે દર્દીઓને મરતા જોઇ ન શકીએઃ શું જરાય માનવતા નથી બચી? શું સરકાર માટે માનવ જીંદગીની કોઇ કિંમત નથી? સરકાર વાસ્તવિકતા નથી જોતી એ જાણીને દુઃખ થાય છે

નવી દિલ્હી, તા.૨૨: દિલ્હી હાઇકોર્ટે ઓકસીજનની પુરતી વ્યવસ્થા નહિ કરવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહયું છે કે, સરકાર માટે માનવ જીંદગીની કોઇ કિંમત નથી, અદાલતે આકરી ટિપ્પણી કરતાં કેન્દ્ર સરકારને કહયું હતુ કે  ભીખ માંગો, કોઇ પાસેથી ઉધાર લ્યો કે ચોરી  કરીને પણ દર્દીઓ માટે ઓકસીજનની વ્યવસ્થા કરો. મેકસ હોસ્પિટલ ગ્રૃપ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી જણાવાયું હતું કે, અમારી હોસ્પિટલોમાં ઓકસીજનનું સ્તર ખતરનાક સ્તરે ઘટી ગયુ છે અમોને તરત ઓકસીજન જોઇએ છે. જસ્ટીશ વિપિન સંધી અને જસ્ટીશ રેખા પલ્લીની ખંડપીઠે આ અંગે સુનાવણી કર્યા બાદ ઓકસીજનનો પુરવઠો પુરો પાડવા કેન્દ્રને આદેશ આપતા તીખી ટીપ્પણી કરી હતી. અદાલતે કેન્દ્ર સરકારને કહયું હતું કે અમે એ જઇને દુઃખી અને આંચકો અનુભવીએ છીએ કે સરકાર વાસ્તવિકતા નથી જોતી. હાઇકોર્ટ સરકારને કહયું હતું કે અમે લોકો ઓકસીજનની અછતથી મરતા જોઇને શકીએ.

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્રને નિર્દેશ કર્યા કે કોવિડ ૧૯ના ગંભીર દર્દીઓની સારવાર માટે રાષ્ટ્રીય રાજધાનીની એ હોસ્પિટલોને તાત્કાલીક ઓકિસજન પુરો પાડે જે આ ગેસની અછત સામે લડી રહ્યા છે. હાઈકોર્ટે કહ્યુ, કેન્દ્ર સ્થિતિની ગંભીરતાને કેમ નથી સમજી રહ્યું? અમે એ વાતથી સ્તબ્ધ અને નિરાશ છે કે હોસ્પિટલોમાં ઓકિસજન ખતમ થઈ રહ્યા છે પરંતુ સ્ટીલ પ્લાન્ટ ચાલી રહ્યા છે. કોર્ટે કહ્યું કે જયારે ટાટા પોતાના સ્ટીલ પ્લાન્ટમાં બનાવેલ ઓકિસજન મેડિકલ ઉપયોગમાં આપી શકે છે તો બીજા એવું કેમ નથી કરી શકતા. આ લાલચની હદ છે. શું જરાય માનવતા નથી બચી?

હાઈકોર્ટે કહ્યું કે જયાં સુધી ઓકિસજનની આયાત નથી થતી ત્યાં સુધી જો સ્ટીલ અને પેટ્રોલિયમ જેવા ઉદ્યોગો ઓછી ક્ષમતાની સાથે કામ કરે તો કોઈ પહાડ નહી ટુટી પડે. પરંતુ હોસ્પિટલોમાં મેડિકલ ઓકિસજન ન મળવાથી આફત આવી જશે.

કોર્ટે કહ્યુ કે આપણે લોકોને ઓકિસજનની અછતના કારણે મરતા ન જોઈ શકીએ, તેમણે કહ્યુ કે તમે ઓકિસજની માંગને પહોંચી વળવા માટે કોઈ શકયતાઓને નથી શોધી રહ્યા. ભીખ માંગો, ઉધાર લો અથવા ચોરી કરો.

જજ વિપિન સાંધી અને જસ્ટિસ રેખા પલ્લીની પીઠે આ દિવસોમાં સુનવણી કરતા કહ્યુ કે ઓકિસજનની માંગને પહોંચી વળવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના ખભા પર છે અને જરુર પડવા પર સ્ટીલ અને પેટ્રોલિયમ સહિત તમામ ઉદ્યોગોના તમામ ઓકિસજનની આપૂર્તિ મેડિકલ ઉપયોગ માટે કરી શકાય છે.

પીઠે કહ્યુ સ્ટીલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ ઓકિસજનની બહું મોટી ખપત કરે છે અને ત્યાંથી ઓકિસજન લેવાથી હોસ્પિટલોની જરુરિયાતો પુરી થઈ શકે છે. કોર્ટે કહ્યુ કે જયારે ટાટા પોતાના સ્ટીલ પ્લાન્ટમાં બનાવેલ ઓકિસજન મેડિકલ ઉપયોગમાં આપી શકે છે તો બીજા એવું કેમ નથી કરી શકતા. આ  લાલચની હદ છે. શું જરાય માનવતા નથી બચી?

હાઈકોર્ટે કહ્યુ કે આ ઓકિસજન ઉત્પાદન કરનારા સ્ટીલ પ્લાન્ટને ચાલુ રાખવાની પરવાનગી આપવાની કેન્દ્રની નીતિ ખુશ નથી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર હોસ્પિટલોને ઓકિસજન પૂર્તીની રીતે માટે તથા સંસાધનો પર વિચાર કરશે. ચાહે વિશેષ કોરિડોર જ બનાવે કે પછી વિમાનથી પહોંચાડે.

કોર્ટે બાલાજી મેડિકલ એન્ડ રિસર્ચ જેન્ટરની અરજી પર સુનવણી કરી હતી. આ સંસ્થા મેકસ નામની અનેક હોસ્પિટલો ચલાવે છે. અરજીમાં ઓકિસજનની સ્થિતિ સારી ન હોવાથી અનેક લોકોને જીવનું જોખમ હોવાની વાત કરાઈ હતી.

પીઠે કહ્યુ કે અમે કેન્દ્રને આ નિર્દેશ આપવા બંધાયેલા છીએ કે આ આદેશનું તાત્કાલિક પાલન થાય અને હોસ્પિટલોને સ્ટીલ પ્લાન્ટ તથા જરુર પડે તો પેટ્રોલિયમ પ્લાન્ટમાંથી ઓકિસજન લે. તેમણે કહ્યું કે આવા ઉદ્યોગોને હોસ્પિટલની સ્થિતિ સુધરવા સુધી ઉત્પાદન રોકવુ પડશે. કોર્ટે તેમને કહ્યુ તેઓ તે ઓકિસજનનું ઉત્પાદન વધારીને બીજા રાજયો માટે કેન્દ્રનો આપે.

એડિશન સોલિસીટર જનરલ ચેતન શર્માના અનુરોધ પર હાઈકોર્ટે થોડાક સમય માટે વિરામ બાદ રાત ૯.૨૦ વાગે સુનવણી જારી રાખવા પર સહમતિ વ્યકત કરી હતી, પીઠે કહ્યું કે અમારી ચિંતા ખાલી દિલ્હી માટે નથી. અમે જાણવા માંગીએ છીએ કે ભારતમાં ઓકિસજનની માંગ માટે કેન્દ્ર સરકાર શુ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર શુ કરી રહી છે. જો દિલ્હીમાં આ સ્થિતિ છે તો નિશ્યિત જ બીજા રાજયોમાં આવુ જ હશે.

નવી દિલ્હી, તા.૨૨: કોરોના સંક્રમણના સતત વધી રહેલા કે વચ્ચે દેશમાં દિલ્હી સહિત અનેક રાજયોમાં ઓકિસજનની અછત ઉભી થઇ હોવાના અહેવાલ છે. જેના લીધે કોરોનાથી ગંભીર રીતે સંક્રમિત દર્દીઓ દમ તોડી રહ્યા છે. જેને લઇને દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે અને દિલ્હીની હોસ્પિટલમાં કોઇપણ ભોગે ઓકિસજન સપ્લાય પૂરો પાડે. દિલ્હી હાઇકોર્ટે ફટકાર લગાવી હતી કે કેન્દ્ર સરકાર વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને કેમ સમજી નથી રહી.

હાઇકોર્ટનું કહેવુ હતું કે આ વાત ચોંકાવનારી છે કે હોસ્પિટલ્સમાં ઓકિસજનની અછત છે ને સ્ટીલ યુનિટ ચાલી રહ્યા છે. હાઇકોર્ટનું કહેવુ હતું કે ઓકિસજનની પૂરવઠો પૂરો પાડવાની સંપૂર્ણ જવાબદારી સરકારની છે અને જરુરત પડે સ્ટીલ અને પેટ્રોલિયમ સહિત ઉદ્યોગોનો ઓકિસજન સપ્લાય મેડિકલ સેવામાં ઉપયોગ કરી શકાય છે. હાઇકોર્ટનું કહેવું હતું કે સ્ટીલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ ઓકિસજનનો વધુ ઉપયોગ કરે છે અને ત્યાંથી ઓકિસજન લઇને દવાખાનાઓમાં સપ્લાય કરવાથી અછત પૂરી કરી શકાય છે. હાઇકોર્ટનું કહેવુ હતું કે જયારે ટાટા ગ્રુપ તેના સ્ટીલ પ્લાન્ટમાં ઉત્પાદન કરાતી ઓકિસજન હોસ્પિટલ્સમાં સપ્લાય કરી શકે છે તો અન્ય આ કેમ નથી કરી શકતા?

ઉલ્લેખનીય છે કે, દેશના અનેક રાજયોમાં ઓકિસજન સપ્લાય ખૂટી પડ્યો છે અને રાજધાની દિલ્હીમાં પણ ગંભીર પરિસ્થિતિ છે. એવામાં દિલ્હીની કેટલીક હોસ્પિટલ્સે ઓકિસજનના તત્કાલ સપ્લાય માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, હોસ્પિટલ્સની અરજીઓ પર હોઇકોર્ટ સુનવણી કરી રહી હતી.

હાઇકોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યા હતા કે આવી ગંભીર પરિસ્થિતિમાં ઓકસીજનનું ઉત્પાદન કરી રહેલા ઉદ્યોગોનો સંપર્ક સાધી અને સપ્લાય વિશે રણનીતિ તૈયાર કરે.

(10:55 am IST)