Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

લ્‍યો બોલો... હવે પાછળના ભાગેથી પણ શ્વાસ લઇ શકાશે !

વિજ્ઞાનીઓનો દાવો : ટૂંક સમયમાં જ વ્‍યકિત તેના શરીરના પાછળના ભાગે એટલે કે ગુદા માર્ગે શ્વાસ લઇ શકશે : આનાથી એવા લોકોને રાહત મળશે જેઓ શ્વાસની સમસ્‍યાથી પરેશાન છે : આ પ્રયોગને સાબિત કરવા માટે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના વૈજ્ઞાનિકોના એક જૂથે ભૂંડ અને ઉંદરો પર પ્રયોગો કર્યા

નવી દિલ્‍હી,તા. ૨૨:  દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બને છે, જેણા કારણે સ્‍વાભાવિક રીતે આヘર્ય થાય છે. મનુષ્‍ય નાક દ્વારા શ્વાસ લે છે. મુસીબતમાં પણ મોઢામાંથી, પણ તમે ક્‍યારેય સાંભળ્‍યું છે કે વ્‍યક્‍તિ ગુદામાંથી શ્વાસ લઈ શકશે, જી હા... હવે આ હકીકત થવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ માણસ ગુદા માર્ગેથી પણ શ્વાસ લેવાનું શરૂ કરશે. તેનાથી મુશ્‍કેલીમાં ફસાયેલા લોકોનો જીવ બચી શકશે. હાલ ભૂંડ અને ઉંદરો પર તેનો પ્રયોગ સફળ રહ્યો છે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ વ્‍યક્‍તિ તેના શરીરના પાછળના ભાગે એટલે કે ગુદા માર્ગે શ્વાસ લઈ શકશે. આનાથી તે લોકોને રાહત મળશે જેઓ શ્વાસની સમસ્‍યાથી પરેશાન છે. આ પ્રયોગને સાબિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્‍તરના વૈજ્ઞાનિકોના એક જૂથે ભૂંડ અને ઉંદરો પર પ્રયોગો કર્યા. કેટલાક કાચબા પર. આ પ્રયોગ વિશેનો અહેવાલ તાજેતરમાં જર્નલ ક્‍લિનિકલ એન્‍ડ ટ્રાન્‍સલેશનલ રિસોર્સ એન્‍ડ ટેકનોલોજી ઈનસાઈટમાં પ્રકાશિત થયો છે.

વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગમાં પ્રાણીઓના આંતરડાને થોડા ઘસીને પાતળા બનાવ્‍યા. જેથી મ્‍યુકોસલ લાઇન પાતળી થઈ શકે. તેનાથી લોહીના પ્રવાહને વેગ આપે છે. લોહીના પ્રવાહમાં કોઈ પણ રીતે અવરોધ ઉત્‍પન્ન થતો નથી. ત્‍યારબાદ આ જીવોને ઓછા ઓક્‍સિજનવાળા રૂમમાં રાખવામાં આવ્‍યા હતા. કાચબામાં પહેલાથી જ પાતળા મ્‍યુકોસલ લાઈનવાળા આંતરડા હોય છે. તેથી તેમને શ્વાસ લેવામાં કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડ્‍યો ન હતો. તેથી તેઓ શિયાળામાં પણ જીવિત રહે છે.

જે જીવોના આંતરડાની ટ્રીટમેન્‍ટ કરવામાં આવી નહોતી, તેઓ ઓછા ઓક્‍સિજન ચેમ્‍બરમાં માત્ર ૧૧ મિનિટ જ જીવિત રહ્યા

રિપોર્ટ અનુસાર આ વૈજ્ઞાનિક ક્‍યા સ્‍થળ અને સંસ્‍થાના છે તેનો ખુલાસો કરવામાં આવ્‍યો નથી. ઓક્‍સિજનની ઉણપ ધરાવતા ચેમ્‍બરમાં રાખવામાં આવેલા પ્રાણીઓ ૧૧ મિનિટ પછી મૃત્‍યુ પામ્‍યા. કારણ કે તેમના આંતરડામાં કોઈ સારવાર કરવામાં આવી ન હતી. પરંતુ જે પ્રાણીઓના આંતરડાની સારવાર કરવામાં આવી હતી, તેઓ લગભગ ૧૮ મિનિટ જીવ્‍યા હતા. એટલે કે તે શરીરના પાછળના ભાગેથી શ્વાસ લઈ રહ્યા હતા.

આ પ્રયોગ એક કલાક ચાલ્‍યો હતો. જે પ્રાણીઓના આંતરડાની સારવાર કરવામાં આવી હતી. તેના ગુદામાં પ્રેશર ઓક્‍સિજન આપવામાં આવ્‍યું હતું. પછી તેમાંથી ૭૫ ટકા પ્રાણીઓ એક કલાક સુધી બચી ગયા. આ દર્શાવે છે કે ઉંદરો અને ભૂંડ ઓછા ઓક્‍સિજનની સ્‍થિતિમાં તેમના ગુદા માર્ગેથી શ્વાસ લેવામાં સક્ષમ હતા. આ પ્રયોગની સફળતા બાદ હવે વૈજ્ઞાનિકો કહે છે કે આપણે બધા ક્‍યારે મરવા માટે જન્‍મ્‍યા છીએ. તેથી ખરાબ સમયમાં આપણે આપણા ગુદા માર્ગ દ્વારા શ્વાસ લઈને લાંબુ જીવી શકીએ છીએ.

જો કે, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોઈએ તેને જાતે કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. વૈજ્ઞાનિકો આના કરતાં પણ આસાન ઉપાયો શોધી રહ્યા છે, જેથી કોઈ પણ વ્‍યક્‍તિ ઓછા ઓક્‍સિજનની સમસ્‍યાથી પરેશાન ન થાય. અત્‍યાર સુધી આ વસ્‍તુનું મનુષ્‍યો પર પરીક્ષણ કરવામાં આવ્‍યું નથી. તેમજ માનવ અજમાયશને લઈને કોઈ પ્રકારનું આયોજન ચાલી રહ્યું નથી. જો ભવિષ્‍યમાં આવું થશે તો લોકોને જાણ કરવામાં આવશે.

(10:54 am IST)