Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

દ્રૌપદી મુર્મૂ મહાન રાષ્‍ટ્રપતિ સાબિત થશે : તેમના બ્‍હોળા અનુભવનો રાષ્‍ટ્રને લાભ મળશે

પીએમ મોદીએ શું કહ્યું ?

નવી દિલ્‍હી તા. ૨૨ : NDA દ્વારા દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્‍યા બાદ પ્રધાનમંત્રી મોદીએ એક ખાસ નિવેદન આપ્‍યું છે. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે દ્રોપદી મુર્મૂ દેશના મહાન રાષ્ટ્રપતિ બની રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે દેશને દ્રોપદી મૂર્મુના નીતિગત અનુભવો અને કરુણાસભર સ્‍વભાવનો મોટો લાભ મળશે. તેમણે કહ્યું કે મુર્મુને વહિવટીય કામનો બહોળો અનુભવ છે અને તેઓ ઉમદા રાષ્ટ્રીય કાર્યકાળ ધરાવે છે.  દેશને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ મળી શકે છે કારણ કે ભાજપની આગેવાની વાળા એનડીએ ગઠબંધને આદિવાસી નેતા અને ઝારખંડના પૂર્વ રાજયપાલ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

 

(11:12 am IST)