Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

હવે સિમ કાર્ડ માટે દુકાનના ધક્કા ખાવા નહીં પડેઃ ઘરે બેઠા જ મળી જશે હોમ ડિલિવરી

ટેલિકોમ ડિપાર્ટમેન્ટે e-KYCને આપી મંજૂરીઃ પ્રિપેઈડ અને પોસ્ટપેઈડ ટ્રાન્સફર માટે OTP પ્રક્રિયાને મંજૂરી

નવી દિલ્હી,તા.૨૨: સિમ કાર્ડ લેવા માટે હવે મોબાઈલની દુકાનોનાં ધક્કા ખાવા નહીં મળે. કેમ કે, હવે દ્યરે બેઠાં જ ઓનલાઈન એપ્લાય કરીને સિમ કાર્ડ મેળવી શકાશે. દૂરસંચાર વિભાગ દ્વારા આ અંગે આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓનલાઈન આવેદન વખતે આધાર કે ડિજિ લોકરમાં રાખેલ માન્ય ડોકયુમેન્ટને આધારે ´-KYC કરાવી શકશે. કેન્દ્રીય મંત્રીમંડળે તેને ૧૫ સપ્ટેમ્બરે મંજૂરી આપી દીધી હતી.

સરકાર નવું મોબાઈલ કનેકશન જાહેર કરવા માટે આધાર સાથે જોડાયેલ ઈ-કેવાયસી પ્રક્રિયાને ફરીથી શરૂ કરવા માટે જુલાઈ ૨૦૧૯માં જ ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, ૧૮૮૫માં સંશોધન કરી ચૂકી છે. નવા નિયમો હેઠળ ગ્રાહકોને ઘરે બેઠાં નવું સિમ કાર્ડ આપવા માટે UIDAIની ઓથેન્ટિકેશન માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને ૧ રૂપિયાનો ચાર્જ આપવો પડશે.

હાલમાં ગ્રાહકને નવું સિમ કાર્ડ લેવું હોય કે, પછી પ્રિપેઈડમાંથી પોસ્ટપેઈડ અથવા પોસ્ટપેઈડમાંથી પ્રિપેઈટ કનેકશન કરાવવું હોય તો કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. અને આ સમયે ઓરિજનલ ડોકયુમેન્ટ્સ પણ સાથે રાખવા પડતા હતા. આ ઉપરાંત આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આધારના ઉપયોગ અને UIDAI પાસેથી ઈલેકટ્રોનિક રીતે ડિટેઈલ્સ લેવા માટે ગ્રાહકની સહમતિ જરૂરી છે.

દૂરસંચાર વિભાગે આદેશ જાહેર રીને પ્રિપેઈને પોસ્ટપેઈડ અને પોસ્ટપેઈડને પ્રીપેઈડમાં બદલવા માટે વન ટાઈમ પાસવર્ડ આધારિત પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. આદેશ અનુસાર, દૂરસંચાર વિભાગના આદેશ અનુસાર ગ્રાહકોને એક એપ/પોર્ટલ આધારિત ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી મોબાઈલ કનેકશન જાહેર કરવામાં આવશે. જે હેઠળ ગ્રાહક ઘર-ઓફિસમાં બેસી મોબાઈલ કનેકશન માટે આવેદન કરી શકે છે અને UIDAI (આધાર) કે ડિજિલોકરના માધ્યમથી ઈલેકટ્રનિક રીતે ડોકયુમેન્ટ વેરિફિકેશનન ઉપયોગ કરીને પોતાના ઘર પર સિમ પ્રાપ્ત કરી શકે છે. 

(10:31 am IST)