Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આઇપીએલમાં ફરી કોરોનાની એન્ટ્રીઃ સનરાઇઝર્સ હૈદ્રાબાદનો નટરાજન પોઝીટીવઃ આજે છે દિલ્હી સામે મેચ

આજે સાંજે હૈદ્રાબાદ અને દિલ્હી વચ્ચે મેચ રમાનાર છે ત્યારે જ હૈદ્રાબાદના બોલર ટી-નટરાજનનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે નટરાજનને આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે. હવે આજનો મેચ રમાશે કે નહિ તે અંગે સસ્પેન્સ યથાવત છે  આમ આઇપીએલ ફરી ખતરામાં મુકાયું છે. દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ હૈદ્રાબાદની ટીમના તમામ ખેલાડીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો તમામના રીપોર્ટ નેગેટીવ આવશે તો જ આજનો મેચ રમાડવામાં આવશે. નટરાજનના સંપર્કમાં ઓલરાઉન્ડર વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝીયોથેરાપીસ્ટ શ્યામ સુંદરજી, ડો. અંજના વાનન, લોજીસ્ટીક મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરીયાસ ગણેશન આવ્યા હતા

(4:28 pm IST)