Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ફૂલગામમાંથી લાપતા જવાનનો મૃતદેહ મળ્યો

આતંકીઓએ ગત વર્ષે અપહરણ કર્યું

જમ્મુ, તા.૨૨ : જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી એક વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહ એક વર્ષ પહેલા લાપતા થયેલા ટેરિટોરિયલ આર્મીના જવાનનો છે. આ જવાનનુ આતંકીઓએ ગયા વર્ષે અપહરણ કર્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે, કુલગામ જિલ્લામાંથી મળી આવેલો મૃતદેહ શાકિર મંજૂર વાગેનો હોઈ શકે છે. ગયા વર્ષે મંજૂર વાગેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ.

       બકરી ઈદ નિમિત્તે ઘરે આવેલા આ જવાનને આંતકીઓએ ઉઠાવી લીધો હતો અને તેની કાર પણ ફૂંકી મારી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. જોકે એ પછી પણ તેનો પતો લાગ્યો નહોતો. હવે એક વર્ષ પછી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે. લાપતા જવાન વાગેના પરિવારજનોનુ કહેવુ છે કે ,અમે મૃતદેહની ઓળખ કરી છે અને આ મૃતદેહ શાકીર મંજૂર વાગેનો જ છે.

(7:42 pm IST)