Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોના પછીની મુશ્કેલીઓના સામના માટે આયુર્વેદ અને યોગ વિશ્વને ખૂબ ઉપયોગી થશે : શ્રીપદ નાયક

રોગનિવારક પગલાં ઉપર વધુ ભાર મૂકે તેવા હેલ્થકેરના નવા મોડેલની તાતી જરૂર

નવી દિલ્હી: કોરોનાવાયરસ પછીની મુશ્કેલીઓનો સામનો કરવા માટે કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રીપદ નાયકે કહ્યું છે કે આયુર્વેદ, યોગ અને અન્ય પ્રણાલી સમગ્ર વિશ્વ માટે ખૂબ મદદરૂપ થશે.

શ્રેણીબદ્ધ ટ્વિટ્સમાં આયુષ પ્રધાને કહ્યું કે, ભવિષ્યમાં આવા સંકટ સામે અસરકારક રીતે લડવા માટે રોગનિવારક પગલાં ઉપર વધુ ભાર મૂકે તેવા હેલ્થકેરના નવા મોડેલની તાતી જરૂર છે.

(11:03 am IST)